ક્ષત્રિય ઇતિહાસ

પ્રસ્તાવના
       પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.
          ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’  પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે.
    ભારતનો  દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ  નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા  બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.                                     
    વૈદિક કાળ , ઉત્તર વૈદિક કાળ , બૌદ્ધ , મૌર્ય , ગુપ્ત અને  હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ  “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી , પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ  પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી  ભારતમાં એકછત્ર  રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને  “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત  વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ  બનાવી દીધી.                                                   ઈતિહાસકારોએ રાજપૂતોને વિદેશીયોના સંતાન અથવા ક્ષત્રિયોથી અલગ બતાવવાનું સૌથી મોટું કારણ એ બતાવ્યું છે કે , છઠ્ઠી સદી પહેલાં કોઇપણ પ્રાચીન ગ્રંથમાં રાજપૂત શબ્દની ચર્ચા કે પુરાવા મળતા નથી.પરંતું એ પ્રાચીન ગ્રંથોમાં રાજપુત્ર ની ચર્ચા થયેલી જોવા મળેછે.ઈતિહાસકારોએ રાજપુત્ર અને રાજપૂત ને અલગ-અલગ બતાવ્યા છે.રાજાને જો એકથી વધારે સંતાનો હોયતો ,પરંપરા ને અનુસાર સૌથી મોટા પુત્રને જ રાજ્યના ઉતરાધિકારી બનાવવામાં આવતા હતા.તથા તેને રાજા કહેવામાં આવતો હતા.તેમજ અન્ય નાના પુત્રોને રાજપુત્ર કહેવામાં આવતા હતા.પાછળથી આ રાજપુત્રો નાના રજવાડાઓમાં ભાગલા પાડીને રાજા અથવા તો શાસક બની ગયા.અને આમ પાછળથી આજ રાજપુત્ર સમુહવાચક યા જાતિવાચક બની ગયા. રાજપૂત હિન્દી નો શબ્દ છે. અને આ સંસ્કૃત શબ્દ રાજપૂત્રનો અપભ્રંશ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજપૂતો માટે રાજપુત્ર, રાજન્ય, બાહુજ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.                                                                                        
ક્ષત્રિયના મુખ્ય ત્રણ વંશ છે.
૧. સૂર્યવંશ                          ૨. ચન્દ્રવંશ                      ૩અગ્નીવંશ


સુર્યવંશ
        સૂર્યવંશમાં પ્રથમ ઇક્ષ્વાકુ થયા. જેમની રાજધાની અયોધ્યા નગરી હતી. ઇક્ષ્વાકુ વૈવસ્વત મનુના પુત્ર હતા. પુરાણ આદિ અધ્યયનથી જાણવા મળે છે કે , બ્રહ્માથી મરીચ , મરીચથી કશ્યપ, કશ્યપથી સૂર્ય, સૂર્યથી વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુએ  અયોધ્યા નગરી વસાવી અને તેમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ અયોધ્યા ના પ્રથમ રાજા થયા. આજ ઇક્ષ્વાકુ  રાજાથી સૂર્યવંશની ઉત્પતિ થઈ .
સૂર્યવંશ રાજાઓની વંશાવળી આ મુજબ છે.
       મનુ , ઇક્ષ્વાકુ , વિકુક્ષિ , પરંજય, અનેના , પૃથુ , કૃષદશ્વ , અન્ધ્ર , યુવનાશ્વ , શ્રાવસ્ત , વૃદિશ્વ , કુવલાયાશ્વ , દ્ઢાશ્વ , પ્રમોઢ , હર્યશ્વ , નિકુમ્ભ , સન્હતાશ્વ , કૃશાશ્વ , પ્રસેનજિત , યુવનાશ્વ , માન્દ્યાતા , પુરુકુત્સ , સદસ્યુ , સમ્ભન , અનરણ્ય ,  ત્રસદશ્વ , હર્યશ્વ , વસુમાન , ત્રિધન્વા , ત્રખ્યારૂણિ , સત્યવૃત , હરિશ્ચન્દ્ર  ,  રોહિતાશ્વ , હરિત , ચંચુ , વિજય , રુરુક  ,  વૃક  , વાહુ , સગર ,  અસમંજસ , અંસુમાન  , દિલીપ  , ભગીરથ  , શ્રુત , નાભગ , અમ્બરીષ , સિન્ધુદ્વીપ , અયુત્રાયુ , ઋતુપર્ણ , સર્વકામ , સુદાસ , સોદાસ , અશ્મક , મૂલક , દશરથ ,  એદવિદ ,  વિશ્વસહ  , દિલીપ , રઘુ , અજ , દસરથ , રામચન્દ્ર  , કુશ , અતિથિ , નિષધ , નળ , નભ , પુણ્ડરીક  ,  ક્ષેમધન્ધ , દેવાનીક , પારિયાગ , દલ , બલ , દત્ક , વૃજનામ , શંયાણ , ધ્યુપિતાશ્ન , વિશ્વસહ , હિરણ્યનામ , પુષ્ય  , ધૃવ  , સન્ધિ  , સુદર્શન , અગ્નિવર્ણ , શીર્ઘ્ર ,  મરુ ,  પ્રસુશ્રુત ,  સુસન્ધિ , અમર્ષ , સહસ્વાન ,  વિશ્ષભન ,  બૃહદવલ ,  બ્રહદ્રર્થ  , ઉરુક્ષય , વત્સવ્યૂહ , પ્રતિવ્યોમ , દિવાકર , સહદેવ , વૃહદશ્વ , ભાનુરથ , પ્રતીતીશ્વ , સુપ્રતીક , મરુદેવ , સુનક્ષ , કિન્નણ , અંતરિક્ષ . સુપર્પ્પ ,  અભિત્રજિત  , વૃહદ્રાજ  , ધર્મી  , કૃતંજય ,  રંણજય  ,  સંજય ,  શાક્ય , શુદ્ધોધન , સિદ્ધાર્થ , રાહુલ , પ્રસેનજિત , ક્ષુદ્રક , કુણ્ડક , સુરથ , સમિત્ર .
        ઉપરોકત માન મુખ્ય -૨ સૂર્યવંશી રાજાઓના છે. કારણ કે મનુથી રામ સુધી ફકત ચોસઠ રાજાઓના નામો મળ્યા છે.  જો કે આ એક ખુબજ લાંબો સમય છે. જેથી બધાજ રાજાઓના નામો મળવા અસંભવ છે.    
        દશરથજી ના ચાર પુત્રો શ્રીરામ , લક્ષ્મણ , ભરત  તથા  શત્રુઘ્ન  થયા. આ ચારેય ભાઇઓના બે –બે પુત્રો થયા. શ્રીરામ ના લવ અને કુશ , લક્ષ્મણ ના અંગદ અને ચન્દ્રકેતુ ,ભરત ના તક્ષક અને પંષ્કલ , શત્રુઘ્ન ના સુવાહુ અને બહુશ્રુત થયા. આ વંશમાં આ ઉપરાંત ઘણા બધા રાજાઓના નામ ભાગવત અને પુરાણોમાં  છે. પરંતુ  એ નામો વિસ્તાર થવાના ભયથી છોડી દેવામાં આવ્યા છે.

ચન્દ્રવંશ
        ચન્દ્રવંશીય ક્ષત્રિય બ્રહ્મા ના બીજા પુત્ર અત્રિના સંતાન છે. મહર્ષિ અત્રિ ના ધર્મપત્ની અનસુઈયા ના સૌથી  મોટા પુત્ર સોમ યાની ચન્દ્ર હતા. સોમ ના વંશ હોવાના કારણે સોમવંશ અથવા ચન્દ્રવંશ કહેવાયા.
        સોમ અથવા ચન્દ્રનો પુત્ર હતો . જેને પોતાની રાજધાની પ્રતિષ્ઠાનપુર બનાવી .બુધનો પુત્ર પુરુરવા હતો. જેનાથી આયુ, આયુથી નહુષૂ , નહુષૂથી યયાતિ  થયા. યયાતિને  બે પત્નીઓ હતી. એક શર્મિષ્ઠા તથા બીજી દેવયાની જે શુક્રાચાર્યની પુત્રી હતી.રાણી શર્મિષ્ઠાને ત્રણ પુત્ર દહ્લુ (dahlu) પુરુ  તથા અનુ થયા. રાણી દેવયાનીથી યુદુ તથા દુર્વસુ થયા .
ચન્દ્રવંશી નરેશોની નામાવલી આ પ્રકારે છે.
        અત્રિ , સોમ યા ચન્દ્ર , બુધ , પુરુરવા , આયુ , પુરુ , જનમેજય , પ્રચિન્વાન , પ્રવીર , મનસયુ , અભયદ , સુધૂ , બહુગત , સંયાતિ , અહંયોતિ , રૌદ્રાશ્ષ , ઋતેપુ , મતનાર , તસુ , એલીન , દુષ્યંત , ભરત , મન્યુ , વૃહખમ , સુહોત્ર , હસ્તી , અજમીઢ , ઋણ , સંવરણ , કુરુ , જન્હૂ , જનમેજય સુરથ , વિદુરથ , સાર્વભૌમ , જયત્સે , આરાધિત , આયુતાયુ , અક્રોધન , દેવાતિથિ , ઋક્ષ , ભીમસેન , દિલીપ , પ્રતીપ , શાંતનુ , વિચિત્રવિર્ય , પાણ્ડુ , યુધિષ્ઠિર , પરિક્ષિત , જનમેજય , શતાનિક , સહસ્માનિક , અશ્વમેઘ , દત , અધિસીશકૃષ , નિચક્ષુ , ઉષ્ણ , ચિત્રરથ , સુચિરથ , વૃષ્ણિભાન , સુષેણ , યુનીથ , રુચ , નૃયક્ષુ , સુખીવલ , પરિપ્લવ , સુનય , મેઘાવી , નૃપુજય , મૃદ , તિગ્મ , વૃહદરથ , વસુદાન , શતીનિક , ઉદયન , વહીનર , દણ્ડપાણિ , નિરામિ , ક્ષેમક .
        શાંતનુની પહેલી રાણી ગંગાથી દેવવ્રત ભીષ્મ તથા બીજી રાણી સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય થયા . ચિત્રાંગદથી ધ્રુતરાષ્ટ તથા વિચિત્રવિર્યથી પાણ્ડુ  ઉત્ત્પન્ન થયા , ધૃતરાષ્ટ ના દુર્યોધન વિગેરે  ૧૦૦ પુત્ર તથા પાણ્ડુથી કર્ણ , યુધિષ્ઠિર , અર્જુન , ભીમ , નકુલ , સહદેવ  વિગેર થયા,  યુધિષ્ઠિરની  રાણી દેવિકાથી  યોદ્ધેય , દ્રોપદીથી  પ્રતિવિમ્વ , સુતસોમ  ,  શ્રુતકીર્તિ  , શતાનિક , શ્રુતકર્માનો જન્મ થયો . અર્જુનની રાણી સુભદ્રાથી અભિમન્યુ અને અભિમન્યુથી પરીક્ષિતનો જન્મ થયો

અગ્નીવંશ
क्षत्रत्किल त्रयत इत्युद्र क्षत्रस्य शब्दों भुवनेषु रुढ:
राज्मेन किं कદ્વિपरीत वृते : प्राणैरुप कोशमलिन सर्वा:
       અર્થાત વિશ્વને  આંતરિક અને બાહ્ય અત્યાચારો જેવા કે , શોષણ , ભૂખ , અજ્ઞાન ,  અનૈતિકતા , અનાચાર તથા શત્રુ (દુશ્મન) દ્વારા પહોંચાડવામાં આવેલી જન-ધનના નુકશાનથી બચાવવાવાળો ક્ષત્રિય જ છે. આનાથી અલગ કાર્ય કરવાવાળો ક્ષત્રિય ના હોઈ શકે અને ના તે શાસન કરવા માટે અધિકારો ધરાવી શકે .                                                                      
પવાર અથવા પરમાર , ચૌહાણ અથવા  ચાહમાન , ચાલુક્ય અથવા સોલંકી તથા પ્રતિહાર –પઢિયાર આ ચાર વંશો ને ઇતિહાસકારો અગ્નિવંશીય માને છે.                                          ચન્દ્ર વરદાયીનો મત છે કે જ્યારે પરશુરામે  પૃથ્વીને ૨૧ વાર ક્ષત્રિય શૂન્ય કરી દીધી હતી ત્યારે રાક્ષસોએ ઋષિઓને સતાવવાનું શરુ કરી દીધુ હતું . આવા સમયે વશિષ્ઠ વિગેરે ઋષિયોએ આબુ પર્વત યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાથના કરી કે અમારી રક્ષા માટે એક શક્તિશાળી જાતિ ઉત્ત્પન્ન કરવામાં આવે . આમ થયા પછી આ યજ્ઞમાંથી ચાર અતિ શક્તિશાળી પુરુષો પેદા થયા .જેમણે પોતાના નામોથી ૪ (ચાર) વંશ ચાલુ કર્યા.
કવિ ધનપાલે ‘તિલક મંજરી’માં , ‘અવુલફ  જન્મ આઈને-એ-અકબરીમાં , કવિ યોધરાજે ‘હમ્મીર રાસો’ માં તથા કવિ પદમગુપ્તે ‘નવ સાહસિક ચરિત્ર’ માં આ વિષે પુષ્ઠિ કરી છે.
આ મત માનવાવાળા કહે  છે  કે જ્યાં આ યજ્ઞ થયો હતો  ત્યાં  ‘ક્ષત્રિય  અભિયંત્ર ‘ મઠ   હતો . આથી આ યજ્ઞમાંથી ઉત્તપન્ન થયેલા પુરુષો અગ્નિવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાયા. દા.ત. જેવી રીતે મહાભારતમાં વર્ણિત દ્રૌપદી , ધૃષ્ટધુમ  તથા અંગીર ઋષિ વગેરેની  ઉત્પત્તિ પણ અગ્નિકુંડમાંથી થઈ છે.       જયારે દેશમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રચારકોએ અહિંસાનો પ્રચાર શરુ કર્યો તો તેનો લાભ વિદેશીયોએ ઉઠાવ્યો. હર્ષવર્ધન પછી દેશ નાના નાના રજવાડાઓમાં વિભાજિત થઈ ગયો. ત્યારે વિદેશીયોએ આ રજવાડાઓ ઉપર આક્રમણ કરવાનું શરુ  કર્યું . આથી દેશમાં તબાહી મચી ગઈ . આ સમયે ‘વશિષ્ટ પીઠ ‘ ના કોઇ ઋષિએ ક્ષત્રિયોનો  એક સંઘ બનાયો અને તે સંઘે વિદેશી આક્રમણકારોને ભગાડી દિધા તથા ફરીથી દેશમાં શાંતિની સ્થાપના કરી. ઉપરોકત  ચાર વંશ  કે જે અગ્નિવંશ કહેવાય છે , તે આ સંઘમાં સામેલ થયા.
ભવિષ્ય પુરાણમાં એવુ વર્ણન  આવે છે કે  જે સમયે બૌધ્ધ અને જૈન ધર્મોનો  પુર્ણત: વિકાસ થયો  તે સમયે વૈદિક ધર્મ નષ્ટ થવા લાગ્યો. આથી કાલ્પ- કુબ્જ બ્રાહ્મણોએ વેદવિધિથી અગ્નિ કુણ્ડ તૈયાર કરી ,  વૈદિક મંત્રોથી હવન કુણ્ડ માં  ‘બ્રહ્મ હોમ’ નામનો યજ્ઞ કર્યો હતો અને ઉપરોકત ચારેય  વંશો તેમાંથી દીક્ષિત થયા હતા.
ભિન્ન- ભિન્ન  ઇતિહાસકારોના મતાનુસાર ક્ષત્રિયોના વંશોનું વિવરણ આ પ્રકારે છે.
મહાકવિ કાલ્હણએ ‘રાજ તરંગીણી’માં ક્ષત્રિયોના ૩૬ વંશોની  વિસ્તૃત ચર્ચા કરી છે. ‘પૃથ્વીરાજ રાસો’માં વર્ણન છે કે,
वंश क्षत्रिय गनीजे भारी, च्वार कुली कुल तीन ,
सव सु जात जोनी भग ...ए ब्रह्मा अविशेष विसिष्पिए
      રવિ શશિ જાદવ વંશ , કુકુસ્થ  પરમાર  સદાકર ચાહુવાન ચાલુક્ય , છંદ સિલાર આમીયર દોયમત મકવાન , ગરુજ  ગોહિલ  ગોહિલપુત્ર ચાપોત્કટ પરિહાર , રાવ રાઠૌર શેસજુત દેવશ વંક સૈનવ અગ્નિ , યોતિક પ્રતિહાર દુધિષટ કારટટપાલ  કોરપાલ હંએ , હરિતટ ગૌર કલાવમદ ધન્ય પાલક નિકુમ્ભ વર , રાજપાલ કીવ નીસ કાલ છરક્કે આદિ હૈ વરને વંશ છત્તીસ .
        ઉપરોકત પદ્યનુ વિશ્લેષણ કરતાં લખવામાં આવ્યું છે કે , રવિ ,શશિ  અને જાદવ (યાદવ) વંશ નુ તો પુરાણોમાં વર્ણન છે પરંતુ તેમની ૩૬ શાખાઓ છે.
        આ સુચિમાં વર્ણિત વંશ શેસજુત , અનંગ , યોતિકા , દુધિષટ , કારટટપાલ , કોરપાલ , હરિતટ , કલાવમદ , ધાન્યપાલ , રાજપાલ આદિ આજકાલ મળતા નથી . આ  કાં તો વિલુપ્ત થઈ ગયા છે. અથવા તો પછી સ્થળ અને વ્યકતિ થી પ્રભાવિત થઈ ને  બીજ અલગ નામોથી ઓળખાય છે.   
છતીસ કુળની યાદી મતીરામના અનુસાર નીચે મુજબ છે. --
        સૂર્યવંશ ,  પેલવાર , રાઠોડ , લોહથમ , રઘુવંશી , કછવાહા , સિરમૌર ,  ગહલૌત ,     વઘેલ  ( વાઘેલા) , કરબા , સિરનેત , વૈસ , નિકુમ્ભ , કૌશિક , ચન્દેલ , યદુવંશ , માહિ , ત્રેમર , વનાકર , કાકન , હરિહોવંશ , ગહરવાર , કરમવાર , રૈકવર , ભદૌરીયા , શકરવાર , ગૌર , દાક્ષિત , બગ્વલિયા, વિશ્વેન , ગૌતમ , સેંગર , ઉદવાકિયા , ચૌહાણ , પડિહાર અને સુલંકી .
        કઈ ઇતિહાસકારો દ્વ્રારા પ્રકાશિત થયેલ વંશાવલી થી સંશોધન કરેલ ૩૬ કુળની યાદી નીચે મુજબ છે:-
“दस रविसे चन्द्रसे  द्वादस  ऋषि प्रमाण “
”चार हुतासन यज्ञ से यह छतीस कुल जान “

૧. સૂર્યવંશ :
          શાખાઓ –વિશેન વંશ , દોનવાર વંશ , રઘુવંશી , લૌહથમ (લોહતમિયા).
૨. ગ્રહલોત અથવા ગહલોત અથવા ગહલૌત –ગેહલોત
  શાખાઓ – ગોહિલ , સિસોદિયા , મહથાન , ચમિયાલ , કડિયાર અથવા મડિઔર ,ભોંસલા .
                     ગોરખાવંશ , સિન્ધિયા .  
૩. નિકુમ્ભ:
   શાખાઓ – શ્રીનેત અથવા સિરનેત , નરવની અથવા નરૌની , કટહરિયા .
૪. નાગવંશ:
   શાખાઓ – કર્કોટક (કાશ્મીર માં) , તક્ષક (પંજાબ તથા કાશ્મીરમાં) , ટાંક વંશ
             (પંજાબમાં) ,  પંચકર્પટ વંશ (પંજાબમાં) .
૫. યાદુ (યાદવ વંશ ) :
          શાખાઓ –યદુવંશ , ભાટીવંશ , હૈહય વંશ ,જાડેચા(જાડેજા) , કલચુરી વંશ યા
             કલચુરીયા વંશ
૬. રાઠૌર યા રાઠોડ વંશ  :
        શાખાઓ – રૈકવર , જાયસ , કૈલવાડ , સૂરવાર , દહિયા , મહરૌડ (મહારાઉલ) .
૭. ચહુવાન યા ચૌહાણ વંશ :
        શાખાઓ – હરડા , ખીંચી , ગોપલવાલ , ભદોરીયા , સિરોહી , રાજકુમાર .
૮. ગૌતમ વંશ :
        શાખાઓ – મૌર્યવંશ , કુણ્ડવાર યા કણ્ડવાર , ગૌતમિયા , ગોનિહા , અણ્ટૈયા .
૯. કછવાહા વંશ :
        શાખાઓ – નરવર , કછવાહા , શેખાવટી યા શેખાવત .
૧૦. પરમાર વંશ :
        શાખાઓ – ચાવડ યા ચાવગ , ડોડ (ડોડા)  ઉજ્જૈન , ગન્ધવરીયા, માલવીયા , ઢેકહા,
                        ભુઆલ ,
૧૧. પ્રતિહાર યા પરિહાર વંશ :
        શાખાઓ – ભુતહા , મલહજની .
૧૨. ચલુક યા ચાલુક્ય યા સોલંકી વંશ :
        શાખાઓ – બઘેલ(વાઘેલા) , ભરસુરીયા , તાતિયા , યા ટેટિહર , ભાલેસુલાન ,   
                    કાકનવંશ  .
૧૩. વૈસ વંશ : (રાજા વાસુ ના વંશરાજ વૈસ કહેવાયા)
        શાખાઓ – કોટવાહર વૈસ , કઠ  વૈસ , ડોડિયા વૈસ , ત્રિલોકચન્દી વૈસ ,
                   પ્રતિષ્ઠાપુરી(પ્રયાગ).
૧૪. ગૌડ વંશ :
        શાખાઓ – વૃહ્ન ગૌડ , ચમરગૌડ , ભટટગૌડ , ગૌડહર , અમેઠિયા.
૧૫. વડગૂજર વંશ : શાખાઓ –સિકરવાર .
૧૬. દીક્ષિત વંશ : શાખાઓ – નેવતની, દુર્ગવંશી , વિલખરિયા , કિનવાર .
૧૭. તંવર યા તોમર વંશ :
        શાખાઓ – રુણેચા , વેરુઆર , રૈકવાલ યા રૈકવર , રવાતિ , વિલદારિયા .
૧૮. સોમવાલ યા ચન્દેલ વંશ :
        શાખાઓ – ચમરકટે વંશ , મોહવિએ યા મહોવિયા વંશ.
૧૯. સિંગર વંશ : શાખાઓ – બરહયિયા .
૨૦. ગહરવાર વંશ : શાખાઓ –કર્મવાર , વુન્દેલા , માણ્ડા , ડૈયા.
૨૧. જિટ વંશ .
૨૨. સિલાર યા સુલાર વંશ
૨૩. વનાકર વંશ .
૨૪. ચાવડા વંશ .
૨૫. ડોડ યા ડોડા વંશ
૨૬. સોમવંશી યા ચન્દ્રવંશી :
        શાખાઓ – પુરુવંશ , કુરુવંશ , હરિદ્વાર ક્ષત્રિય વંશ , કૌશિક વંશ , જનવાર વંશ ,
                    પલવાર યા પાલીવાલ ભૃગુવંશ .
૨૭. દહિમા વંશ : શાખાઓ – પુણ્ડીર વંશ .
૨૮. દહિયા વંશ : શાખાઓ – સિરોહી વંશ .
૨૯. કાવ વંશ.
૩૦. બડવાલિયા વંશ.
૩૧. ઉદય વાલિયા વંશ .
૩૨. કોટપાલ વંશ .
૩૩. રાજપાલ વંશ .
૩૪. ધાન્યપાલ વંશ .
૩૫. રોસ જુત વંશ .
૩૬. અનંગ વંશ .
        આ યાદીમાં વર્ણિત કાવા , બડવાલિયા , ઉદય વાલિયા રાજપાલ , કોટપાલ ,
ધાન્યપાલ  , રોસ જુત વંશ જિટ , સિલાર , અનંગ વંશ હાલમાં નથી મળતા .આ વંશોની વંશાવલી અથવા રિયાસતોનું વર્ણન અપ્રાપ્ય છે. ચન્દ્રવંશના ઘણા બધા વંશોનું વિવરણ મલતું નથી.

ક્ષત્રિયો ની ઉપાધિયો: યા પદવીયો :

        ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ , ભૂપતિ , મહીપ , મહીપતિ , રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ , મહારાજ , મહારાજાધિરાજ , સમ્રાટ , ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા.
        રાજાઓથી નાના સરદારોને સામંત , જાગીરદાર , જમીનદાર , કિલ્લેદાર , તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર , રાજકુંવર , રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ  કહેવાતો .
        ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ  સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે.
       
        શાખ્યવંશી હોવાના કારણે જ શાક્યસિન્હ લખવામાં આવ્યું છે. તેમના પછી ઉજ્જૈન ના પરમાર રાજા વિક્રમાદિત્ય ના મંત્રી અમરસિન્હ કે જેઓએ ‘અમર કોષ’ની  રચના કરી હતી તેમનું નામ પણ મળે છે. તે આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે થયા હતા. તેમના પછી મહારાજા રૂદ્ર સિન્હ નું  નામ આવે છે. તેમનો સમય સને ૧૮૧ થી ૧૯૬ સુધી હતો. તે પછી માળવાના પરમાર રાજાઓમાં , મેવાડના ગહેલોત નરેશોં માં બારમી સદીમાં અનેક નામ મળે છે. આ પછી સિંહ શબ્દ નો પ્રચલન બધા ક્ષત્રિયોમાં થઇ જાય છે.

बिछडे बन्धु
      પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા છે. જેમાં ક્ષત્રિય તરીકે ઓળખાય છે.આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમનાં રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યાં. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો. મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત ૧૬ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પરંતુ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે. આ ઉપરાંત કેટલાક રાજપૂતોએ  મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લીધો છે. અને કેટલાક વંશોએ ઈસાઈ ધર્મ અપનાવી લીધો છે. બાબરએ જયચન્દ અને તેના પુત્ર ત્રિલોક ને મુસલમાન બનાવી દીધા તથા તેનુ નામ તાતારખાં રાખવામાં આવ્યું હતું.  



उपसंहार
        ક્ષત્રિય વંશાવળી લખવામાં અને વાંચવામાં જાતિવાદની ભાવના આવવી જોઇએ નહી. ક્ષત્રિય બન્ધુઓએ પોતાનો અતિતને જાણવા , એકજુટ થઈ અને રાષ્ટિય ભાવનાથી પ્રેરિત થઈને  દેશને એક સુત્રમાં બાંધવાનું કાર્ય કરવું જોઇએ. અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ક્ષત્રિય વંશાવલી રૂપી સમુદ્રમાંથી માત્ર એક બુંદ મળી શકયું છે અને આને આપની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. અગર જો ભાષા અને સંગ્રહિત વંશાવલીમાં કોઇ ત્રુટી કે કમી રહી ગઈ હોય તો  ભાઈઓ ક્ષમા ચાહુ છું. જે વંશોની જાણકારી મળી શકી નથી તે અંગે  જો કોઇ માહિતી હોય તો અવશ્યસહયોગ કરવા વિનંતી છે. જેથી તે અંગે વિસ્તાર કરી શકાય. ત્રુટીઓ અને ભુલચુક માટે હું આપ સહુની ક્ષમા પ્રાથના ચાહું  

ક્ષત્રિયોના ગોત્ર
  ક્ષત્રિય વંશાવલી ઉપર ઘણા ઈતિહાસકરો અને વિદ્વાનોએ મતાંતર અથવા એક મત થઈ ને ઘણું બધું લખ્યું છે. પરંતુ ક્ષત્રિયોના ગોત્ર ઉપર ખાસ કોઇ વિશેષ ધ્યાન આપ્યું નથી. વસ્તુત: વંશાવલી અને ગોત્ર બન્ને એક સિક્કાની બે બાજુ છે. જેવી રીતે સિક્કાની બન્ને બાજુ સાચી હોય તો જ સિક્કાની કિંમત થાય છે. એક બાજુ ખોટી હોય તો પણ સિક્કાની કિંમત રહેતી નથી. એવી જ રીતે ક્ષત્રિયોનો ઈતિહાસવંશાવલીથી પૂર્ણ થઈ જાય છે એવું નથી. આ માટે ગોત્ર ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. એમાં ખાસ  અધ્યયનની આવશક્યતા છે.
     ક્ષત્રિય વંશાવલીની પ્રામાણિકતા તેના ગોત્રથી જ થાય છે. ક્ષત્રિયોના ગોત્ર આપણને પ્રાચીન ઋષિઓના સંતાન હોવાનું પ્રમાણિત કરે છે. પ્રાચીન ગ્રંથ મહાભારતમાં ઉલ્લેખ છે કે વિશ્વની શરૂઆતમાં ફકત ચાર જ ઋષિ હતા:- અંગીરા , કશ્યપ , વશિષ્ઠ અને ભૃગુ. આ ચાર ઋષિ ચાર મૂળ ગોત્ર કહેવામાં આવે છે.

मूलगोत्राणि चत्वारि समूत्पनानि भारत:.
      अंगीरा कश्यप्श्चेन वशिष्ठों भृगुरेश्च”..
    આ ચાર ઋષિયોથી જ આર્યોની ઉત્પતિ થઈ. ગોત્ર ઋષિ સપ્તર્ષિયો માંથી કોઇ એક અથવા તેમના પુત્ર અથવા વંશજ હોય છે. ભૃગુ ઋષિનુ નામ સપ્તર્ષિયો માં આવતુ નથી. પરંતુ તેમના વંશજ જમદગ્નિ નુ નામ આવે છે. તેવી જ રીતે અંગીરા ઋષિના સ્થાને તેમના બે પૌત્રો ભારદ્વાજ તથા ગૌતમ ઋષિઓના નામ આવે છે. અત્રિ અને વિશ્વામિત્ર પણ સપ્તર્ષિઓ છે.
    આવી રીતે અત્રિ , વિશ્વામિત્ર , ગૌતમ , ભારદ્વાજ , જમદગ્નિ , કશ્યપ , વશિષ્ઠ આ બધા સપ્તર્ષિઓ છે. આ સપ્તર્ષિઓમાં પછીથી અગસત્ય ઋષિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ગોત્ર ઋષિઓ વેદોની જુદી જુદી શાખાઓ ના પ્રવર્તક હતા.
    ચન્દ્રવંશીઓ ના ગોત્ર અત્રિ છે. કારણ કે , આ ક્ષત્રિયો ચન્દ્રના સંતાન છે અને ચન્દ્ર અત્રિ ઋષિનું સંતાન છે. સૂર્યવંશીઓની ઉત્પતિ વાલી ઋષિઓથી થઈ. જે વંશ જે ઋષિનું સંતાન છે તે ઋષિ તે વંશનું ગોત્ર કહેવામાં આવે છે. દા.ત. પરમાર વશિષ્ઠ ઋષિનું સંતાન છે . આથી તેમનુ ગોત્ર વશિષ્ઠ છે. વર્તમાન સમયમાં એક વંશ ના વંશજ અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ ગોત્ર લખે છે. કેટલાય એવા વંશજ એવા છે કે જેમના ઉત્તર ભારતમાં અલગ તથા દક્ષિણ ભારતમાં ગોત્ર છે. પરંતુ તેઓ એક જ ઋષિના સંતાન છે. ક્યાંક કયાંક એક જ વંશ ની અનેક શાખાઓમાં અલગ – અલગ ગોત્ર જોવા મળે છે. ઉપરોકત પ્રશનોનો એક જ ઉત્તર છે.- ક્ષત્રિયો હજારો વર્ષો સુધી યુદ્ધમાં લિપ્ત રહ્યા. ઈ.સ. પૂર્વે તથા પછીના સમય દરમ્યાન સમગ્ર  ભારત વિદેશી આક્રમણકારીઓ સામે ઝજુમતો રહ્યો . મુસ્લિમ કાળ બધો જ સમય યુદ્ધકાળ કહેવામાં આવ્યો.
     આવાં ભીષણ આક્રમણો અને યુદ્ધમાં લિપ્ત રહેવાના કારણે  ક્ષત્રિયો ને દેશ , ધર્મ , સંસકૃતિ તથા પોતાના જીવનનું રક્ષણ કરવાનું કઠણ થઈ ગયું. એને પુર્વવત સ્થિતિમાં લાવવાની સમસ્યા ઉત્તપન્ન થઈ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયુ હતું .દેશ ,ધર્મ અને સંસ્કૃતિ ને યથાવત કરવાનું ન હતું .તથા દેશ , ધર્મ , સંસ્કૃતિ , ક્ષત્રિય વંશાવલી અને ગોત્ર પરંપરા ખુબજ ભૂલ ભૂલામણીમાં પડી ગયાં. આવી વિષમ પરિસ્થિતિમાં જે ક્ષત્રિયો વંશો ને પોતાના ગોત્ર અને પ્રવર થી અજાણ રહ્યા તેઓએ પોતાના પુરોહિતો ના ગોત્ર ઉચ્ચારણ કરવા લાગ્યા. જેવી રીતે-
“ अथ मेषां मंत्र कृतो न स्यू: .
स पुरोहित प्रवरास्ते प्रवृणीरन “ .
            प्रवर- પ્રવર નો અર્થ –શ્રેષ્ઠ , વર્ણન કરવાલાયક અથવા આવાહન કરવા લાયક. વેદોમાં અગ્નિપૂજા ને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. આ પૂજા ની સાથે એવા પૂર્વજ ઋષિયો ના કાર્યો નો ઉચ્ચારણ કરવામાં આવે છે કે જે અગ્નિ ને આવાહન કરતા હતા. આથી હવન કરતી વખતે પોતાના પ્રવરો ના નામ અગ્નિ દેવતા ને  બતાવવા પડે છે કે હું અમુક ઋષિ નો વંશ જ છુ. ગોત્ર ઋષિ ,પ્રવર ઋષિ તેઓના પ્રસિદ્ધ વંશ જ હોય છે. જેના નામ થી તે વંશની પ્રસિદ્ધિ થઈ. એક ગોત્ર ઋષિના સાથે એક , બે , ત્રણ અથવા પાંચ પ્રવર હોય છે. જે વંશના  જેટલા પણ પ્રવર હોય , યજ્ઞોપવીત માં એટલી જ ગાંઠો હોય છે. વૈદિક સૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. આથી પ્રવરોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. બોધાયન સૂત્રાનુસાર ગોત્ર તો હજારો હોય છે. પરંતુ પ્રવાર ફકત ૪૯ જ હોય છે.જે ઋષિયો એ વેદોની ઋચાની રચના કરી હતી તે પ્રવર ઋષિઓમાં અનેક ક્ષત્રિય સમ્રાટ પણ હતા. જેવા કે માન્ધાતા , અમ્બરિસ , યુવનાશ્વ , પુરુકુત્સ , વગેરે  સૂર્યવંશી સમ્રાટ હતા. તથા સુનક મત્ર , અજામિધ વગેરે ચન્દ્રવંશી સમ્રાટો હતા. પ્રવરાધ્યાયથી એવુ જાણવા મળે છે કે વૈદિક કાળમાં ઘણા બધા ક્ષત્રિયો બ્રાહ્મણ થઈ ગયા હતા અને આ રીતે ઘણા બધા બ્રાહ્મણો ક્ષત્રિય થઈ ગયા. કારણ કે એ સમયે જાતિ પ્રથા એટલી બધી કઠોર ન હતી. જેવી રીતે કણ્વ ઋષિ કે જે મહારાજા દુષ્યંત ના પુર્વજ હતા તથા ચંદ્ર વંશમાં જન્મ્યા હતા. પુરુકુત્સ  સૂર્યવંશી ક્ષત્રિય હતા પરંતુ બાદમાં બ્રાહ્મણ થઈને અંગીરસ સમુદાયમાં ભળી ગયા. મુદગલ ચન્દ્રવંશી ક્ષત્રિય હતા પરંતુ તેમના વંશજો હાલમાં બ્રાહ્મણો છે. વાયુ પુરાણમાં ચન્દ્રવંશી સમ્રાટ ગર્ગ નું બ્રાહમણ હોવાનુ વર્ણન મળે છે. વિશ્વામિત્ર પણ વૈદિક કાળમાં ક્ષત્રિય હતા. જેમના વંશજો હાલમાં કૌશિક ગોત્રના બ્રાહ્મણો છે. કારણ કે વિશ્વામિત્રનું બીજુ નામ કૌશિક હતું. ગોત્રના સબન્ધમાં સામાન્ય ધારણા એવી છે કે તેનાથી કોઇ એક પુર્વજ થી ચાલી આવતા વેલાનું જ્ઞાન થાય છે. બોધાયન ને ગોત્ર પ્રવરો ની નીચે જણાવેલ તાલીકા ને માન્ય કરી છે.
ક્રમ
ગોત્ર
પ્રવર ઋષિ
૧     
અગસ્ત્ય
અગસ્ત્ય , માહેન્દ્ર , માયોભુવ
૨     
અંગીરસ
અંગીરસ , બ્રાહસ્પત્ય , વશિષ્ઠ
૩     
કણ્વ
અંગીરસ , અજમીઢ , કણ્વ
૪     
અત્રિ
આત્રેય , આર્ચનાન , શ્યાવાશ્વ
૫     
કૌણ્ડિલ્ય (કૌણિડલ્ય)
મિત્રાવરુણ
૬     
કૌશિક
વિશ્વામિત્ર , દેવરાત , ઔદલ
૭     
કશ્યપ
કાશ્યપ , અવત્સાર , અસિત
૮     
ગૌતમ
ગૌતમ , વશિષ્ઠ , બ્રાહસ્પત્ય
૯     
વત્ય
જામદગ્ન્ય , અપ્તુવાન , યવન , ભાર્ગવ , ઔર્વ
૧૦    
જામદગ્ન્ય 
જામદગ્ન્ય , ઔર્વ , વશિષ્ઠ
૧૧    
મુદગલ
અંગીરસ , તાર્ક્ષ્ય , મૌદગલ્પ
૧૨    
વશિષ્ઠ
વશિષ્ઠ , ઈન્દ્રપ્રમદ , ભરદવસુ
૧૩    
ભારદ્વાજ
ભારદ્વાજ , બ્રાહસ્પત્ય , અંગીરસ
૧૪    
વાસુકિ
અનન્ત ,      અક્ષોભ્ય , વાસુકિ
૧૫    
વિશ્વામિત્ર
વિશ્વામિત્ર , દેવરાત , ઔદલ
૧૬    
શાણ્ડિલ
કશ્યપ , અવત્સાર , શાણ્ડિલ્ય 
૧૭    
શુનક
શુનક , સોનહોત્ર , ગાર્ત્સમદ
૧૮    
ગર્ગ
અંગીરસ , સૈન્ય , ગર્ગ
૧૯    
ગૌકર્ણ
ગોકર્ણ ઋષિ
૨૦    
હરિત
અંગીરસ , અમ્બરીષ , ચુવવાશ્વ:
૨૧    
વિષ્ણુ વૃદધ
અંગીરસ , પુરુકુત્સ , ત્રાસદસ્ય
૨૨    
કુત્સ
અંગીરસ , માન્ધાતા , કુત્સ
૨૩    
પરાસર
પરાસર , શક્તિ ,વશિષ્ઠ
૨૪    
પૂતિમાસ
અંગિરા , ઉશિજ , સૂવચોતથ્ય
૨૫    
માણ્ડવ્ય
ભૃગુ , તણ્ડિ , મત્સ્યગન્ધ
૨૬    
કપિલ
વિષ , વૃષાર્વા
૨૭    
શૌનક
ધર્મવૃદધ , ગુત્સમદ , શુનક યા શૌનક
૨૮    
યાજ્ઞવલ્ક્ય
પતિર્ણન , વીર્ણિન
૨૯    
વ્યાસ
પેલ , વાષ્કલ , સન્યશ્રવસ
૩૦    
લોમસ
કાલશિખ , ગોરવૃષા કૈલાપ
૩૧    
પુલત્સ્ય
પુલત્સ્ય , વિશ્વ , શ્રવસ , દભેલિ
૩૨    
મંકિન
મંકિન , મેંકણક , કેંણ
૩૩    
દુર્વાસા
દુર્વાસા , આત્રેય , દત્તાત્રેય
૩૪    
નારદ
નારદ , કાણ્વ , પર્વત , નારદિત્ર
૩૫    
પ્રહલાદ
વિરોચન
૩૬    
વકવાલ્ભ્ય
ગ્લાવમૈત્ર , દાલભ્ય

ઉપસંહાર

  આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું , તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવુ એ આપણો નૈતિક ધર્મ છે.
  
ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય

        ભારતનો ઈતિહાસ મુખ્યત્વે , શરુઆતમાં વિદેશી ઈતિહાસકારો  કે જેઓ , ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના  સમુદાયના હતા અથવા તેમના દાસ કે ગુલામ હતા . તેઓએ લખ્યો. કે  જેઓ ભારતના ઈતિહાસથી બિલ્કુલ અજાણ હતા. તેમજ તેઓને ભારતની પરંપરાઓ , રીતરીવાજો કે  સંસ્કૃતિની જરાપણ ખબર ન હતી. આવા વિદેશી આક્રમણકારીઓ ના કથનોને આધાર બનાવીને  અથવા તેમાં જોડ તોડ કરીને આપણા ઈતિહાસ કારોએ પણ , વસ્તુ –સ્થિતિના ઉંડાણમાં ગયા વગર , અવનવા ભાવ પરોવીને જે કઈ પણ લખ્યું  છે , ખાસ કરીને પ્રાચીન ઋષિઓ તથા મધ્યકાલીન ક્ષત્રિયો વિષે , જે આપણા ઈતિહાસ સાથે એક અન્યાયકારી  અધ્યાયની શરુઆત છે.
       
        ઇતિહાસકારોએ રાજપૂત વંશો વિષે એવું લખ્યુ છે કે તેઓ પ્રાચિન ક્ષત્રિયોના સંતાનો નથી. ત્યાં સુધી કે ચન્દ્રગુપ્ત મૌર્ય , મહાન અશોક , સમુદ્રગુપ્ત , સમ્રાટ હર્ષવર્ધન વિગેરે જેવા મહાન વીર સપૂતોને ક્ષત્રિયો માનવામાં આવ્યા નથી. એવું જ નહી રાજપૂતકાળની શરૂઆતમાં જે વીર બંકા પરિહારોએ હર્ષવર્ધનથી પણ વધારે મોટુ સામ્રાજ્ય  ‘ આસેતુ હિમાલય ’ કર્યું હતુ , અને તે સામ્રાજ્યનો સમય પોણા બસો(૧૭૫) વર્ષ રહ્યો હતો , તેઓને પણ વિદેશી શક – હૂણ વિગેરેના સંતાનો  કહેવામાં આવ્યા છે. આવા ક્ષત્રિયોની સંખ્યા પુરા ભારતભરમાં કરોડોમાં છે. તેટલુ જ નહી આ ઉપરાંત અફઘાનિસ્તાન , પાકિસ્તાન , બાંગ્લાદેશ , બર્મા , તિબેટ વિગેરે દેશોમાં આ ક્ષત્રિયો હજારો વર્ષોથી વસવાટ કરેછે. હજારો શિલાલેખ , સેંકડો ભયંકર યુદ્ધો , જળ પ્રલય , દુર્દાંત , આક્રમણકારીયોની ક્રુર બર્બર યાતનાઓ, દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરો , વિશ્વવિદ્યાલયો અને પુસ્તકાલયો નો વિધ્વંસ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ આપવીતી કરી રહ્યા છે. આમ છતાં આવા કરોડો ક્ષત્રિયોના વારસાગત પ્રાચિન દાવાઓને ધુળ ધાણી , તર્ક વિતર્કોથી આચ્છાદિત કરી ફકત તેમની પ્રાચિનતાને જ નહી , પરંતુ તેઓના સાંસ્કૃતિક અસ્તિત્વને પણ ઉંડો આઘાત પહોંચાડ્યો છે.

     ઇતિહાસકારોએ ભારતની ભૂમિમાંથી શક અને હૂણોને બહાર તગેડી મુક્યા હતા એવા મહાન સમ્રાટ વીર ચન્દ્રગુપ્તને પણ ક્ષત્રિય  ગણ્યા નથી.  દુનિયાની દરેક ભાષા અને જાતિનું સાહિત્ય તેના ઇતિહાસનો ધરોહર છે.  એ સત્ય છે કે ઇતિહાસકાર સમાજનો સર્જનહાર હોય છે. આથી તેણે યથાર્થ અને કલ્પના ચક્ર પર સાહિત્ય રચના  કરવી પડે છે. પરંતુ ખુબજ મહત્વપુર્ણ ગ્રામિણ સાહિત્ય સત્યમ શિવમ સુન્દરમ ની આધારશીલા પર ટકી છે. જયશંકર પ્રસાદએ ચન્દ્રગુપ્ત નાટકમાં ચન્દ્રગુપ્તને ‘ પરમાર ‘ ક્ષત્રિય પુરાણોનો હવાલો આપીને વિસ્તૃત ચર્ચા કરી છે. આવી રીતે ચન્દ્રગુપ્તનો વિવાહ લિચ્છવી વંશની રાજકુમારી કુમારદેવી સાથે થયો હતો . જે ભારતીય નેપોલિયન સમ્રાટ સમુદ્રગુપ્તની માં હતી. સમુદ્રગુપ્તએ પોતાની સ્વર્ણ મુદ્રઓ પર પોતાને લિચ્છવીયોની જાતિ તરીકે ઓળખાણ આપી છે. यथा लिच्छवी दोहित्र: ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય નો વિવાહ નાગવંશીય ક્ષત્રિય રાજકુમારી કુબેરનાગા સાથે થયો હતો. तंत्रो कामद्क નામના ગ્રંથ મુજબ મહારાજા એશ્વર્યપાલ ઈક્ષ્વાકુ વંશી હતા અને તેમનો ઉદભવ ગુપ્તવંશથી થયો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પાલવંશી શાસકો , કે જેની સ્થાપક ગોપાલ  હતા .જે સૂર્યવંશી કહેવાય છે. તેમની રાજધાની મુંગેર હતી . પ્રતિહારોનો પ્રભાવ અસ્ત થયા પછી પુરા મગધ પ્રદેશ ( બિહાર ) પર બંગાળના પાલવંશી શાસકોનુ શાસન થઈ ગયુ હતું. ધર્મપાલના પુત્રએ ભાગલપુર પાસે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. જેના અવશેષો હાલના ખોદ્કામ દરમ્યાન મળી આવ્યા છે. 

294 ટિપ્પણીઓ:

294 માંથી 1 – 200   વધુ નવું›   તદ્દન નવું»
Unknown કહ્યું...

જય હો ક્ષત્રિયાણા

Unknown કહ્યું...

જય ભવાની

Unknown કહ્યું...

બ્રહ્મક્ષત્રીય (ખત્રી) કુળ ના ઈતિહાસ વિશે જણાવવા વિનંતી.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

અમારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર.ક્ષત્રિય સમાજની કોઈપણ વિગત માટે આપશ્રી અમારો સંપર્ક કરી શકો છો.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આપશ્રી ને કેવા પ્રકારની માહિતી જોઈએ છે ? વિગતવાર જણાવશો.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

બહુ સરસ, આપશ્રીને ટૂંક સમયમાં અમો માહિતી પ્રદાન કરીશું. જય ભવાની.

Unknown કહ્યું...

રાજા ના પુત્રો માં સૌથી મોટા પુત્ર ને રાજગાદી આપવામાં આવતી અને તેના નાના પુત્રો ને રાજ્ય ના જુદા જુદા પદ પર નિમણુક કરવામાં આવતા તેમને હાલ રાજસ્થાન માં રાવણા રાજપૂત તરીકે ઓળખવામાં આવે છે અને તેવો પણ ક્ષત્રિય છે અને તેમની વસ્તી રાજસ્થાન માં વધુ છે પણ ગુજરાત માં ઓછી છે જેમની માહિતી તમે આપેલી નથી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ખૂબ આનંદ થયો. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા ના કેટલાક વિસ્તારોમાં રાવના રજપૂત સમાજના કુટુંબો છે. એવી મને થોડીક જાણકારી છે. પરંતુ આપની પાસે વધુ માહિતી હોય તો મને મોકલવા વિનંતી. જેથી અહી પ્રકાશિત કરી શકાય.કેટલાક ભાગોમાં હજુરી રજપૂત પણ વસે છે. આ જાતિને ગયા વર્ષે સરકારે ઓબસિમાં સમાવેશ કર્યો છે. ખૂબ સારી બાબત કહેવાય.

Unknown કહ્યું...

કોળી અને ઠાકોર નો ઇતિહાસ હોય તો આપો ભાઇ જય માતાજી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ઠાકોરનો ઇતિહાસ આ બ્લોગમાં છે જ. જ્યારે કોળી નો ઇતિહાસ કોળી સમાજની વેબસાઇટ ઉપર મળી રહેશે. ઠાકોર અને કોળી સમાજનો ઇતિહાસ અલગ અલગ તળપદા કોળી અને ચુવાલિયા કોળી સમાજ સૌરાષ્ટ્ર બાજુ છે. એ ઉપરાંત ચુવાલિયા કોળી સમાજ અમદાવાદ જિલ્લામાં પણ છે. તળપદા કોળી સમાજ સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત પંચમહાલ જિલ્લા માં પણ છે.

Unknown કહ્યું...

બાપુ વડતાલ નો પગી ઠાકોર નો આખો ઇતિહાસ મુકો
અમુક લોકો એમ કહે છે કે પગી કોળી મા આવે
હુ પગી છુ ,અને મારે ખાનદાની ક્ષત્રિયો ના બારોટ છે ,તેથી મને તો મારુ ભુતકાળ ખબર જ છે ,પગી ઠાકોર વિશે કોઇ પણ માહીતી મારી પાસે મલશે

Unknown કહ્યું...

Jay mataji,

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પગીનો ઇતિહાસ આપશ્રી જોડે હોય તો મને આપવા વિનંતી.
પગી એ કોઈ અટક નથી પરંતુ પગી એ એ ઉપાધિ છે, એ જ રીતે ઠાકોર, રજપૂત કે દરબાર એ કોઈ અટક નથી, બધી ઉપાધિઓ છે. પગી તરીકે મોટે ભાગે પરમાર શાખાના ક્ષત્રિય ઓળખાય છે

Unknown કહ્યું...

બાપુ અમુક લોકો ઉત્તર ગુજરાતના અને પાટણના સદારમબાપુ ના ગોળ ક્ષત્રિય ઠાકોર ને કોળી માને છે,તમારું સુ કહેવું છે....

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ગુજરાતમાં ૨.૫ રાજપૂત સમાજની વસ્તી છે, બાકીના ૨.૫ કારડીયા, િવિગેરે છે. પહેલા મુસ્લિમ શાસકો, ત્યાર અંગ્રેજો, અને હાલની મીડિયા ફક્ત રજપૂત સમાજને જ ક્ષત્રિય ગને છે. પટેલ અને કણબી સમાજમાં કડવા અને લેઉઆ કણબીઓ હોવા છતાં પણ મીડિયા એમનું વિભાજન નથી કરતું, પાટીદાર તરીકે જ પ્રકટ કરે છે. જ્યારે ઠાકોર સમાજની વાત આવે ત્યારે આ જ મીડિયા સમસ્ત ઠાકોર સમાજને વિભાજિત કરીને સમર્થન કરે છે.વાસ્તવમાં આ દેશની સૌથી પ્રાચીન સમાજ કોઈ હોય તો એ ક્ષત્રિય સમાજ છે. આ સમાજ અનેક વાડાઓમાં વિભાજિત હોવા છતાં પણ નીચેથી ઉપર સુધી સામાજિક વ્યવહાર વ્યવસ્થા થકી ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. ઠાકોર સમાજની વાત કરીએ તો ઉત્તર ગુજરાત થી લઇને છેક દક્ષિણ ગુજરાત સુધી આ સમાજ પથરાયેલો છે. પરંતુ આ સમાજ અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા સમૂહો તરીકે ઓળખાય છે. મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં આ સમાજ ઠાકોર તરીકેની દરબાર તરીકે ઓળખાય છે, મધ્ય ગુજરાત માં પણ ઠાકોર અને ક્ષત્રિય તરીકે ઓળખાય છે. દક્ષિણ ગુજરાત બાજુ રજપૂત ઠાકોર કે રજપૂત તરીકે ઓળખાય છે. હવે સૌરાષ્ટ્ર બાજુની વાત કરીએ તો ત્યાં ચુવાલીયા કોળી તરીકે ઓળખાય છે. ચૌદમી સદીમાં ચુંવાળ બાજુના ઠાકોર સમાજને સુલતાન એહમદ બેગડાએ કોળી સમાજ સાથે વટલાવ્યા આથી એમની ઓળખાણ ચુવલિયા કોળી તરીકે થઈ. પરંતુ એ લોકોએ કોળી સ્વીકારવાનું પસંદ કર્યું પરંતુ મુસ્લિમ ધર્મ ના અંગીકાર કર્યો. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જીલ્લાના ઠાકોરો એકજ છે. પરંતુ કેટલાક સમાજ વિરોધી તત્વો અને ઇતિહાસની ઓછી જાણકારી ધરાવતા અજ્ઞાનીઓ કેટલાક વિસ્તારના ઠાકોરો ને કોળી ઠાકોર તરીકે ગણે છે જે યોગ્ય નથી. કારણ કે આપશ્રી જે સમાજની વાત કરી એ સમાજ મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજ સાથે જોડાયેલો અને મહેસાણા જિલ્લા વાળા ઠાકોરો પાટણ જિલ્લા ના ઠાકોરો સાથે સામાજિક વ્યવસ્થાથી જોડાયેલા છે. એ જ રીતે પાટણ જીલ્લાના પાળવી ઠાકોરો બનાસકાંઠા ના દરબારો - પાલવી ઠાકોર દરબારો સાથે સામાજિક વ્યવસ્થાથી જોડાયેલા છે. આ એક સત્ય વાસ્તવિકતા છે. પરંતુ વાસ્તવિકતાને કેટલાક લોકો અવગણી રહ્યા છે. આથી પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યા છે. બધાજ ઠાકોરો છેવટે એક બીજાના સગા છે પછી એક ગોળને ઠાકોર અને બીજા ગોળને કોળી તરીકે ગણવું એ ક્યાંનો ન્યાય છે. માટે એ માનવું ભૂલ ભરેલું છે કે સદારામ બાપા ને માનનારા અને ગોળ વાળા ઠાકોરો ને કોળી ગણવા . બધા જ ઠાકોર એક જ છે. પરંતુ આ તમામ ભૂતકાળમાં કેટલીક પરિસ્થિતિનો ભોગ બનેલા છે. વાસ્તવમાં સમસ્ત ઠાકોર સમાજ એમના પૂર્વજોના રાજ્યો તૂટવાથી, ભાગવાથી કે ભગાડવાની અલગ અલગ જગ્યાએ સ્થાળંત્રિત થયેલા છે અને જે જે વિસ્તારોમાં ગયા અને વસવાટ કર્યો ત્યાં ત્યાં એમની ઓળખાણ એમના બાપદાદા કે ગામના નામ ઉપરથી થવા પામી.બાકી દરેક ની સમજણ અલગ અલગ હોય છે

Unknown કહ્યું...

બાપુ અમે તો સદરામબાપા પૂજવાવાળા ઠાકોરો છીએ પરંતુ અમારા બરોટજી ના ચોપડે પેલા પરમાર અગ્નિવંશી રાજપૂત લખાયેલું છે તો એ સાચું હોઈ શકે????

Unknown કહ્યું...

બાપુ અમે સદારામબાપા ને માનવાવાળા ઠાકોરો છીએ પરંતુ અમારા બારોટજી ના ચોપડે પરમાર અગ્નિવંશી રાજપૂત લખાયેલું છે એ સાચું હોઈ શકે?????

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આપશ્રી સદારામ બાપુ વાળા ઠાકોર એમ કેમ કહો છો ? સદારામ બાપા ઠાકોર સમાજની સાથે સાથે દરબાર અને રાજપૂત સમાજના પણ ગુરુ છે. હું ફક્ત એક જ વાર બાપુ ના આશ્રમે મુલાકાત લઈને સદારામ બાપુથી પ્રભાવિત થયો છુ. સદારામ બાપા એ ભગવાને સમાજ માટે માટે મોકલેલ ઈશ્વરના દુત છે. બીજું કે આપના બારોટના ચોપડે રાજપૂત કે અગ્નિવન્શી લખેલાનો ઉલ્લેખ હોય તો એ સત્ય જ હોય. કોઇની પાસે પ્રમાણપત્ર લેવાની જરૂર નથી.

Unknown કહ્યું...

બાપુ ઉત્તર ગુજરાતમાં કોળી છે?????

Unknown કહ્યું...

Bhavanishinh thakur....
આયર કોન છે.क्षत्रिय ंंमा आवे के नही??

રિતેશ બારીયા કહ્યું...

બારૈયા,બારીયા,બારીઆ અને બારાયા માં સુ તફાવત છે? અને આ માંથી ક્ષત્રિય જ્ઞાતી વાળા કોણ છે????
બારીયા અથવા બારીઆ નો ઇતિહાસ તમારી માસે હોય તો મોકલવા વિનંતી.....

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

બારીયા,બારૈયા,બારીઆ અને બારાયા આ બધા શબ્દોનો અર્થ એક જ છે. મૂળ બારીયા એટલે કે આ કોઈ અટક નથી, પરંતુ કેટલીક જાતિઓ માટે વપરાતો ઉપમાવાચક શબ્દ છે. બારીઆ કે બારૈયા વિગેરે શબ્દો મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર તેમજ સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજની ઓળખાણ માટે વપરાય છે. મૂળ આ તમામ જાતિઓ લડાયક અને સ્વમાની પ્રજા છે. આ જાતિઓ મૂળે અન્ય વિસ્તારોમાંથી સ્થળાંતરિત થઈને જે તે જગાએ કાયમી વસવાટ કરેલો છે આથી ત્યાંની સ્થાનિક પ્રજા એમને જે વિસ્તારમાંથી આવેલા હોય એ વિસ્તારના અથવા તો બહારના એટલે કે બહારિયા એટલે કે બહારથી આવેલા એટલે કે બારીયા યા બારાયા કે બારૈયા જેવા તળપદા શબ્દોથી ઓળખવા લાગયા. બનીયા કે વાણિયા અને બામણ કે બ્રાહ્મણમાં કોઈ ફરક નથી એમ બારીયા કે બારૈયા કે બારીઆ શબ્દો એક બીજાના પર્યાય છે.

રિતેશ બારીયા કહ્યું...

બારીયા એ શુ સૂર્યવંશી રાજપૂત જ્ઞાતિ છે?????

Unknown કહ્યું...

બાપુ અમે ડેર, વામૈયા જેવા ગામો માં જાગીરદાર દરબાર સીએ પણ કેટલાક લોકો માનવા તૈયાર નથી.....

Unknown કહ્યું...

બાપુ અમે ડેર, વામૈયા જેવા ગામો માં જાગીરદાર દરબાર સીએ પણ કેટલાક લોકો માનવા તૈયાર નથી.....

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કોઈના કહેવાથી કે કોઈના પ્રમાણપત્ર થી કોઈ બદલાઈ જવાનું નથી. ડેર, વામૈયા હોય કે ગુજરાતના અન્ય સ્થળોના ઠાકોર રજપૂત હોય, મૉટે ભાગે તમામ કોઈને કોઈ જગ્યાએથી સ્થળાંતરિત થઈને અન્ય વિસ્તારોમાં વસવાટ કરેલ છે એવા હજારો નહીં પરંતુ કરોડો પરિવારો સલ્તનત સમયે એક યા બીજી જગાએ પોતાના કુટુંબ કબીલા સાથે હમેશ માટે વતન છોડી ને અન્યત્ર ગયેલા છે. લગભગ આ સમયગાળો 250 થી લઈને 500 વર્ષ સુધીનો છે. જેના કારણે પોતાના મૂળ ભાયાતો થી અલગ થવાથી તમામ વ્યવહારો થોડેઘણા અંશે ભુલાઈ ગયો છે. ક્યાંય પોતાના જ ભાઈઓ પોતાનાને ઓળખવા માટે નંનૈયો ભણી દૈધો છે તો ક્યાય પોતાની ઓળખાણ છીપાવીને પોતાના પરિવારો ને હંમેશા માટે સબંધના દરવાજા બંધ થયેલા હોય એમ જણાય છે. પરંતુ પોતાનો ઇતિહાસ પોતાના બારોટ જોડે સાચવાયેલો હોય છે. એ ઇતિહાસને આપના બારોટ અને પોતાના ભાયાતી ગામોના બારોટ પાસે મિલાવીને પોતાની ઓળખાણ ની વિગતો રજૂ કરો.

Sp કહ્યું...

પરિહાર મૂળ ક્યાંના રહેવાસી હતા...

Unknown કહ્યું...

રામનાથ

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ઉત્તર ગુજરાતમાં થોડાક વિસ્તારો સિવાય બધા જ ક્ષત્રિય ઠાકોર છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આહીર જાતિ એ મૂળ પશુપાલન સાથે સંકળાયેલી જાતિ છે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પરિહાર, પઢિયાર કે પ્રતિહાર એ અગ્નીવાંશી ક્ષત્રિય છે. આ વંશના રાજાઓ મૂળ ઉત્તર મધ્ય ભારત માં શાસન ધરાવતા હતા. લગભગ ૬૦૦ વર્ષ સુધી શાસન કરેલું હોય એવા ઉલેખો છે.

Unknown કહ્યું...

બાપુ અમૅ ખૅડા જીલ્લા માં વસયા છીએ મૂળ અમૅ ધૉડકા ના હતા તો શુ અમૅ વાઘૅલા દરબારમાં ના કહેવાય એ અમુક જીલ્લા માં અલગ ગનૅ છૅ શુ વાઘૅલા બધા એક જ નથી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ગુજરાતમાં વાઘેલા વંશનું મૂળ ઉત્પતિ સ્થાન પાટણ જિલ્લાનું વાઘેલ ગામ છે. આ ગામ હારીજ તાલુકામાં આવેલ છે. સોલંકી શાખાના આ ક્ષત્રિયો મુસ્લિમ શાસકોના હુમલાઓ અને ત્રાસ ના બચવા માટે યા તો પોતાના પરિવારનો વંશ વેલો આગળ ધપાવવા માટે એક જગ્યા છોડીને બીજી જગ્યાએ સ્થાળાંતરીત થયેલા હોય એમ જણાય છે. ખાસ કરીને ગુજરાતનાં છેલ્લા વાઘેલા શાસક કરણ ઘેલા ની નીતિઓનો ભોગ બનેલ આ પ્રજા પાટણ પરગણું છોડીને ગુજરાતનાં જુદા જુદા ભાગોમાં સ્થાયી થયેલ છે. અલાઉદ્દીન ખીલજીના શાસનમાં લાખો ગુજરાતીઓને ગુલામ બનાવેલા. કેટલાક જીવ બચાવવા માટે જંગલોમાં પણ જઈને પણ વસેલા છે. ગુજરાતમાં વાઘેલા, રાજપૂત અને ઠાકોર બંને સમૂહો માં આવે છે. રાજપૂત વાઘેલા પોતાને ઊંચા વાઘેલા માને છે. જ્યારે સરકારે બક્ષિપંચમાં સમાવિષ્ઠ કરેલ વાઘેલા ક્ષત્રિય ઠાકોર સમાજમાં ગણાય છે. મોટે ભાગે બક્ષિપંચમાં આવતા વાઘેલા ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળે છે. ધોળકા શહેર જે તે સમયે વિશળ દેવ વાઘેલા એ વસાવેલું ઓવાના ઐતિહાસિક પુરાવા છે. ધોળકાથી મુશલીમ સમયે સ્થાળાંતરીત થયેલા વાઘેલા જે જગ્યાએ વસવાટ કર્યો એ વિસ્તારના ક્ષત્રિય સમાજ સાથે સામાજિક વ્યવહારો કર્યા આથી એમના મૂળ ભાયાતોએ કાયમ માટે પોતાનાથી અલગ કર્યા. આમ એકનો એક સમાજ જુદા જુદા વાડાઓમાં વિભાજિત થયેલો જણાય છે. ઠાકોર, રજપૂત, દરબાર એ કોઈ કોમની અટક નથી. એક પ્રકારની ઓળખ છે. પરંતુ જુદા જુદા મોભાઓમાં વિભાજિત આ સમૂહો પોતાના ઊંચ નીચના ભેદભાવોને લીધે જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ રીતે ઓળખાય છે. દરબાર અટક રજપૂત, મુસ્લિમ, આદિવાસી, ભીલ વિગેરે જાતિઓમાં પણ છે. આથી મારુ માનવું છે કે દરબાર તરીકેની ઓળખાણ કેવી રીતે આપવી એ આપના ઉપર આધારિત છે. મહેસાણા જિલ્લાના વાઘેલા અટક ધરાવતા કેટલાક ઠાકોર તરીકે તો કેટલાક દરબાર તરીકે ઓળખાય છે. આગળની પેઢીએ બધા એક બીજાના ભાયાતો હોય એવું પણ જોવા મળે છે. આથી આપ દરબાર તરીકે ઓળખાવ કે ઠાકોર તરીકે કે રજપૂત તરીકે એ બહુ મહત્વનુ નથી પરંતુ આપણી અને આપણાં પરિવારની રહેણી કારની, વ્યવહારો, માન મર્યાદાઓ, સ્ત્રી શિક્ષણ, સામાજિક દરજ્જો વિગેરે કેવા છે એના ઉપર બધો જ મદાર રહેલ છે. જય માતાજી.

લકી પટેલ કહ્યું...

બારૈયા કે બારીયા અટક ચૌહાણ વંશ ની એક શાખા chએ છે પાવાગઢ ના ખીંચી ચૌહાણ માંથી શરુ થયેલી જયારે મહેમુદ બેગડાએ પાવાગઢ જીત્યું પછી તે સમયે તેમને બારીયા ગામનો આશરો લીધો ત્યાંથી તે બારૈયા કહેવાય

Vijaysinh rathod કહ્યું...

જય માતાજી બાપુ
વિજાપુર ના મહુડી ગામ ના રાઠોડ નો મૂળ ઇતિહાસ ની જાણકારી હોય તો જણાવવા વિનંતી
વિજયસિંહ એચ રાઠોડ

Vijaysinh rathod કહ્યું...

Mobile no. ૯૦૧૬૧૩૮૯૯૦

Unknown કહ્યું...

બાપુ હું વાઘેલા ઠાકોર છુ અમારા વડવાઓ પાટણના પાલડી ગામમાં થી આવેલા છે અને હાલમાં બનાસકાંઠા માં રહે છે અને હાલમાં વાઘેલા કોળી તરીકે ઓળખાય છે છુ તે કોળી છે ખરા બાપુ કહ છો

Unknown કહ્યું...

હુ અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકાના ગોવિંદપુર ગામ વતની છું અને મારી અટક પાડોર છે તો પેટા જાતિ હિન્દુ ઠાટરડા લખાય છે તો મારે પુવૅ વંશજો ની માહિતી મેળવવા છે તો મદદ કરશોજી

Unknown કહ્યું...

મારે મારા વંશજો નો ઈતિહાસ જોઈએ છે મદદ કરશો જી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

બૃહદ સાબરકાંઠા જીલ્લાના સમસ્ત ઠાકોર સમાજ માટે મોટા ભાગના તમામ ના પેટા જાતિ હિંદુ ઠાકરડા લખાય છે. વાસ્તવમાં બક્ષી પંચ એ ઓબીસી નો લાભ લેવા માટે ઠાકોર અથવા ઠાકરડા તરીકે સરકારે ઓળખાણ આપેલ છે. 1978 ના બક્ષીપંચ ના અહેવાલમાં સરકારે તમામ ઠાકોરો એટલે કે રજપૂત ઠાકોર અને ઠાકોર માટે હિંદુ ઠાકરડા શબ્દનો ઉલ્લેખ છે.
બીજું કે આપના કહેવા અનુસાર આપની અટક પાડોર છે, તો અટક આપના બાપદાદાના મૂળ ગામ લે પૂર્વજોની ઓળખાણ છે. જે તે સમયે આપના પૂર્વજો એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થળાંતરિત થયેલા હશે. જેથી આપની મૂળ ઓળખાણ પાડોર પડી હોય એમ જણાય છે. બાકી ઠાકરડા એ રજપૂત ઠાકોર માટે વપરતો શબ્દ છે અટક છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

મહુડી જિલ્લો મહેસાણા ના તમામ રાઠોડ મૂળે રજપૂત ઠાકોર યા પાલવી ઠાકોર કે પાલવી રજપૂત છે. સાબરમતી નદીના કાંઠાના તમામ રાઠોડ અને તમામ ક્ષત્રિયો મૂળ રજપૂત ઠાકોર છે. પરંતુ અંગ્રેજોની કુતનીતિના કારણે આ સમાજને ક્યાંય અંગ્રેજોની નીતિનો ભોગ બનવું પડ્યું છે.

Unknown કહ્યું...

Bariya atak bapu Rajput Mo aave Che

Unknown કહ્યું...

જય માતાજી બાપુ,,,પરજિયા સોની વિશે જાણકારી આપી શકશો?

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

બારીયા સમાજ વિશે અગાઉની કોમેન્ટમાં જવાબ આપેલ છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પરજીયા સોની સમાજ વિશે હાલમાં મારી પાસે માહિતી નથી,પરંતુ હું તમને થોડા સમયમાં માહિતી આપીશ.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

અગ્નિવંશી ક્ષત્રિયો મૂળ તો બધા રાજસ્થાન ના જ વતની ઘણી શકાય.

Unknown કહ્યું...

🚩...JAY MA BHAWANI...🚩

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

દરેક સમાજ અને જ્ઞાતિ ને પોતાનો ઇતિહાસ હોય છે. વાઘેલા શાખ એ મૂળ સોલંકી ક્ષત્રિય ની પેટા શાખા છે. હારીજ પાસે આવેલ વાઘેલ ગામ વાઘેલા શાખા ના ક્ષત્રિયોનું ઉત્પત્તિ સ્થાન હોવાનું મનાય છે. વાઘેલા શાખ ઠાકોર, રજપૂત અને કોળી જાતિમાં તેમજ દલિત જાતિમાં પણ લખાય છે. ખાસ કરીને વાઘેલા શાખ ઉત્તર અબે મધ્ય ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં વપરાય છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર, રજપૂત અને કોળી સમાજ તેમજ મધ્ય ગુજરાતમાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજ વાઘેલા અટક લખાવે છે. સાણંદ બાજુના રજપૂત વાઘેલા તરીકે પિતાને ઊંચા ગણે છે. અમદાવાદ રાણીપ બાજુમા ઠાકોરો વાઘેલા તરીકે ઓળખાય છે.
કોળી સમાજ આ દેશ ની સૌથી પ્રાચીન પ્રજા છે. આ જાતિ પણ લડાયક પ્રજા છે. કોળીમાં પણ તળપદા અને ચુવાળીયા એમ અલગ અલગ સમાજો છે. તળપદા કોળી એ સૌરાષ્ટ્ર અંર દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક પટ્ટામાં વસવાટ કરે છે. જ્યારે ચુવાળીયા કોળી સમાજ સુરેન્દ્રનગર માં વિશેષ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વસવાટ કરે છે.ચુવાળીયા મૂળ પાલવી ઠાકોર યા ઠાકોર જાતિમાંથી અલગ થયેલા જણાય છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં કોળી સમાજ - ઠાકોર સમાજ - રજપૂત સમાજ વચ્ચે લગ્ન વ્યવહારો થતા જોવા મળે છે છે એ વિશેષતા છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

જય માતાજી

Unknown કહ્યું...

કાઠી ક્ષત્રીય સમાજ વિશે થોડુ જણાવશો?

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

https://shareinindia.in/kathiyawad-asmita આ લિન્ક ખોલો કાઠી સમાજ વિષે વધુ માહિતી મળશે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...


https://shareinindia.in/kathiyawad-asmita

આ લિન્ક ખોલો કાઠી સમાજ વિષે વધુ માહિતી મળશે.

Youth India કહ્યું...

બાપુ બહારપાડા ગીરાસદાર રાજપૂત નો ઇતિહાસ વિશે માહિતી આપશો

Unknown કહ્યું...

ગોહિલ માં થી ગોહેલ કેમની અટક લખાવવા ની શરૂઆત થઈ જણાવજો

Unknown કહ્યું...

ઝાલા બાવજી ની પુજા કરવા આવેલ. વડીલો અડપોદરા પણ પુજારા અટક કેમ લખાય છે. તા હિમતનગર જી.સાબરકાંઠા

Unknown કહ્યું...

Jay Bhavani

Unknown કહ્યું...

ભવાનસિંહ બાપુ હુ અત્યારે ગામ પિયજ તા કલોલ જિ ગાંધીનગર મા રહુ છુ અને મારુ મૂળ ગામ મોટેરા અમદાવાદમાં છે અને મારી કુળદેવી મહાકાળી માતા છે તો શું આપ મારા પૂર્વજો અને વંશ વિસે
જય માતાજી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પાણી અને પાની જેટલો તફાવત છે. બાકી તફાવત કોઈ જ નથી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

તમારી અટક અને પરિવારની બીજી માહિતી આપો તો વધુ માહિતી મળી શકે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ઝાલા બાપજી અને અડપોદારા તેમજ પુજારા આ બાબતે મને વિગતવાર જણાવો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

મારું માનવું છે ત્યાં લગી બહારપાડા નહિ પરંતુ બાર પરા ગીરાસદર રાજપુત એવું હોય શકે. કપડવંજ મહેમદાવાદ યા કપડવંજ બાજુ સોલંકીઓના કેટલાક ગામ બાર મુવાડા કે બાર પરા સોલનકી રજપૂત તરીકે જાણુતા છે. એવી મારી જાણકારેઈ છે

Unknown કહ્યું...

ઠાકોર ચૌહાણ

Unknown કહ્યું...

ઠાકોર ચૌહાણ

Unknown કહ્યું...

Jay mataji

Unknown કહ્યું...

Jay mataji

અનિરુદ્ધ સિંહ કહ્યું...

નર્મદા ભરૂચ જિલ્લા માં રેતા રાજપૂત ઓ ..પોતાની અટક રાજ લખાવે છે ..આ અટક વિશે થોડી માહિતી આપશો

ZALA કહ્યું...

ખુબજ સરસ માહિતી રાજપૂત સમાજની આપને પ્રણામ

M Patel કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જયસિંહ દયાતર કહ્યું...

જય માતાજી બાપુ 🙏
મહિયા રાજપૂતો વિશે માહિતી હોય તો જણાવશો જી.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ok

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

મૈયા
મહીયા અથવા મૈયા અથવા મહિયા ક્ષત્રિય એ એક હિન્દુ જાતિ છે. ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. તેઓ મહીયા રાજપૂત અને મૈયા દરબાર તરીકે પણ ઓળખાય છે

ઇતિહાસ અને મૂળ

સમુદાયનો દાવો છે કે ખેડા જિલ્લામાં મહી નદીના કાંઠે સ્થાયી થયા છે, તેથી તેઓ મૈયા તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ જાધવ રાજપૂતોના વંશજ હોવાનું મનાય છે. સુલતાન મહેમૂદ બેગડાના શાસન દરમિયાન સમુદાય ગુજરાતમાં સ્થાયી થયો, અને 16 મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થળાંતર થયો. ત્યાં તેઓએ વાંકાનેર અને રાજકોટ નજીક કુવાડવા અને થાન જેવા નાના રાજ્યો સ્થાપ્યા.તેઓએ 1882 માં જૂનાગઢના નવાબ સામે બળવો કર્યો, અને દબાઇ ગયા. બળવોના પરિણામે, તેઓએ તેમની ઘણી જમીન ગુમાવી દીધી.

આ સમુદાય સૌરાષ્ટ્રમાં કેન્દ્રિત છે. તેઓ સંખ્યાબંધ કુળોમાં વહેંચાયેલા છેજેમાં મુખ્ય લોકો દયતાર, બાબરીયા, મક્કા, ડાંગર, પેરેડી, ધાના, ચેલેવાડા, ડાભી છે. તેઓ મોટે ભાગે શેરગઢ, પત્રગ્રામ, અજબ, કનેરી, મેસાવાન, અવનીયા, ગંગેચા, રંગપુર, પીખોર, ગેલાના, કલવાણી, તારસિંહાડા, માતરવાણીયા, ભાખરવડ, પ્રાણસાલી, અંબલા, મીઠપર, વડા, સિકોદ, થાનીઆના અને સૌરાષ્ટ્રના અન્ય ગામોમાં સ્થિત છે. રાજકોટ, સુરત અથવા અન્ય શહેરી વિસ્તારોમાં નોકરી અને ધંધા માટે સ્થળાંતર થયેલ છે. આ સમુદાય મુખ્યત્વે નાના અને મધ્યમ કદના ખેડૂતોથી બનેલો છે અને ખાટી અને ખાંટ જેવી અન્ય ભૂમિ ઉછેરતી જાતિઓ ધરાવે છે. ક્ષત્રિય હોવાનો દાવો અન્ય હિન્દુ જાતિઓ દ્વારા સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે.

આ સમગ્ર સમુદાયની કુળદેવી માતા નાગબાઈ છે જે જૂનાગ જિલ્લાના શેરગઢ છે. દરેક ને માટે કુળદેવી હોય છે. જેમ કે બાબરીયા માટે માતા ખોડીયાર, ડાંગર, દયાતર માટે માતા મોમય, છલવડા માટે માતા સિકોતર વગેરે.
વર્ષોથી સોરઠમાં મહિયા નામની વીર જાતિ વસે છે. મર્યાદિત વસતી ધરાવતી આ કોમનો ફેલાવો મુખ્યત્વે મેંદરડા, જેતપુર, માળિયા અને કેશોદ વિસ્તારના ઝૂમખામાં હતો. પ્રથમ મારવાડ અને પછી પાંચાળ પ્રદેશ તરફથી આવીને મહિયાઓ અહીં વસ્યા હતાં. એ વખતે જૂનાગઢ પર બાબીવંશનું રાજ હતું. મહિયાઓનું ખમીર, લડાયક વૃત્તિ અને ખાનદાની સ્વભાવને પારખી ગયેલા જૂનાગઢ નવાબ શેરખાને ૧૭મી સદીના અંતમાં મહિયાઓને પોતાની સહાયમાં લીધા. મહિયાઓની વસતી હજાર-બે હજારથી વધારે ન હતી. નવાબે તેમને જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારની ચોકી કરવાની ફરજ સોંપી હતી. એ રીતે મહિયાઓનું કામ નવાબની ફૌજ પ્રકારનું હતું. બદલામાં મહિયાઓને જમીન-જાગીર મળતાં હતાં અને મહિયા પોતાને નવાબના ગરાસદારો સમજતા હતા.
એકાદ સદી સુધી નવાબ અને મહિયાઓની જુગલબંધી બરાબર ચાલી.
28મી જાન્યુઆરી, 1883.
એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો સામાન અલગ પ્રકારનો હતો. મનુષ્યોના મસ્તકો ખીચોખીચ ભર્યા હતાં, મસ્તકોમાંથી વહેતુ શોણિત રસ્તાને લાલ-તરબોળ કરી રહ્યુ હતું. એકથી વધારે ગાડાઓમાં 80 થી વધારે મસ્તકો ભર્યા હતાં. જમાદાર સુલેમાન જૂનાગઢ નવાબ મહાબતખાનને નજરાણુ ધરવા એ મસ્તકો લઈને આવી રહ્યા હતા. પણ ધડ વગરના એ શીશ હતાં કોનાં?
* * *
એ માથાં હતાં જૂનાગઢ નવાબ સામે ઉપવાસ-આંદોલને બેઠેલા મહિયા (મૈયા) રાજપૂતોના. અને એમના ધડ તો છેક ૩૫ કિલોમીટર દક્ષિણે આવેલા કનડાની ટોચે પડયા હતાં, નધણિયાતી અવસ્થામાં. ગીધ-સમડી જેવા હવાબાજો અને જંગલના આક્રમણખોર પશુઓ હવે એ મૃતદેહોની મિજબાની ઉડાવી રહ્યાં હતાં.
પ્રખર ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ ‘કનડાના કેર’ નામે એ હત્યાકાંડની નોંધ કરી છે તો મેઘાણીએ જેને ‘કનડાને રિસામણે’ તરીકે આલેખ્યો છે, એ ક્રૂર હત્યાકાંડ સમજવા સવા-દોઢ સદી પહેલાના ઈતિહાસમાં જવુ પડશે..
કનડાનો નરસંહાર બીજા બધા તો કદાચ ભૂલી ગયા છે, પણ માહિયાઓ નથી ભૂલ્યા. એટલે દર વર્ષે ૨૮મી જાન્યુઆરીએ મહિયાઓ કનડા પર આવે છે. એક સમયે ઘોડા પર બેસીને આવતા હતાં. આજે ચાલીને આવે છે. એક પછી એક સાત હરોળમાં ઊભેલી એ ખાંભીઓને સિંદૂર ચોપડે છે, દીવાઓ પ્રગટાવે છે, ધજા ચડાવે છે, પાઘડીનો છેડો ગળા ફરતે વીંટાળી ખાંભી તરફ ઝુકાવી નમન કરે છે અને મનોનમન એ સૂરાપૂરાઓને યાદ કરતા આંખોમાંથી દડ દડ આંસુડાં વહેતાં મૂકે છે…

2018 માં ય કનડો એકલો ઊભો છે, ટોચ પર સિંદૂરિયા થાપા લગાવેલી ખાંભીઓ વર્ષો પહેલાંના હત્યાકાંડની મૂક સાક્ષી બનીને ઊભી છે અને તેમાંથી કદાચ કવિ દાદનું શૌર્ય સંભળાઈ રહ્યું છેઃ ‘શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઈને ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..’

રઘુવંશી ભાવેશ રૂપારેલ કહ્યું...

રઘુવંશી લોહાણા વીસે ની માહિતી શેર કરો
જય રઘુવંશ

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

Raghuvanshi Lohana Jati Itihas આ નામનું ઐતિહાસિક પુસ્તક છે. જેના લેખક P O Sodha છે. કિમત 125 રૂપિયા છે. ખરીદીને વાંચન કરી લેજો
https://www.gujaratibooks.com/raghuvanshi-lohana-jati-itihas.html ઉપરથી મળી રહેશે.

Unknown કહ્યું...

જાદાવ વિસે માહિતિઆપો
રાનેર ના

Unknown કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જયસિંહ દયાતર કહ્યું...

જય માતાજી 🙏🙏
.
જી આ માહિતી તો વિકિપીડિયા મા છે એ પ્રમાણે આપે જણાવેલી છે...
અને અન્ય સોશિયલ મીડિયા પર આધારિત પોસ્ટ દ્વારા...

Unknown કહ્યું...

Jay mata ji
Jay chosath bhawani
Jay bhawani
Jay sahkti ma

Jadav BHavu કહ્યું...

તમે ખૂબ સરસ માહિતી આપી છે

Yuva Kshatriya Sena Gujarat કહ્યું...

જય માતાજી. જાદવ વિશે જરૂરથી માહિતી આપીશ. પરંતુ રાનેરના જાદવ વિશે માહિતી નથી

Unknown કહ્યું...

બાપુ મૂળ અમૅ ધૉડકા ના કૉઠ ગામના વાઘૅલા છીએ અને ખૅડા માં ચકલાસી માં વસયા છીએ બાપદાદાઓવરસૉ પહેલાં આવયા હતાં તૉ શુ ચકલાસી ના વાઘેલા દરબારમાં આવે કૅ ના આવે

Unknown કહ્યું...

બાપુ અમારા બારોટ ના ચોપડા મા લખેલ છે કે અમે મુળી પરમાર છી અને મુસ્લીમ આક્રમણ ને કારણે કર ભર્યો એટલે કારડીયા રાજપુત કેહવાણા તો આવી કાઈ જાણકારી હોય તો આપવા વિનંતી જય ભવાની

Unknown કહ્યું...

બાપુ ચૌહાણ જાગીરદાર દરબાર ઠાકોર વિસનગર નો ઇતિહાસ મૂકો
જય માતાજી 🚩

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ઉત્તર ગુજરાતનાં તમામ ઠાકોર મૂળે તો રાજપૂત સમાજ થી અલગ થયેલા હોય એમ જણાય છે. બધા જ ઠાકોરો જાગીરદાર હોય અથવા ના હોય એ કહેવું મુસકેલ છે. પરંતુ મૂળ બધા ક્ષત્રિય છે. ઠાકોર. દરબાર, જાગીરદાર, વાંટાદાર, તાલુકદાર વિગેરે જુદા જુદા સ્ટેટસ એટ્લે કે મોભા- પદવીઓ છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...


http://nadodarajputsamaj.org/itihas.html નાડોદા રાજપૂત સમાજ વિષે વધુ માહિતી માટે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...


http://nadodarajputsamaj.org/itihas.html

નાડોદા રાજપૂત સમાજ વિષે વધુ માહિતી માટે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો

VIJAYSINH RATHOD કહ્યું...

સૌરાષ્ટ્રમાં વસેલા ક્ષત્રિયા રાઠોડ વિશે માહિતી આપો ભાઈ

Unknown કહ્યું...

ખુબ સરસ પાટણથી જે સોલંકીઓ પાટણ ને રામ રામ કરી ગયા હતા તેમના વિશે લખવા વિનંતી આપ બહુ જ સરસ કામ કરી રહ્યા છો.

Koli Ajayraj Bavaliya કહ્યું...

બાપુ હું એક તળપદા કોળી છું અને બારોટ ના ચોપડે રાઠોડ રાજપૂત છે અને કોળી સમાજ વિશે ઘણા બધા એવા જૂના ફોટા છે જેમાં કોળીક્ષત્રિય ,કોળી રાજપૂત સમાજ એવું વર્ણન છે તો એના ઉપરથી એવું જણાય કે કોળી ક્ષત્રિય જ્ઞાતિ છે તમે જાણતા હોય તો એના વિશે માહિતી આપો ����

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કોળી જાતિ એ આ દેશની સૌથી પુરાતન જાતિ છે. આ પ્રજા ના ઘણાબધા રાજ્યો ભારતમાં મુશલીમ શાસકો આવ્યા એ પહેલાં હતા. કોળી જાતિમાં પણ અનેક શાખા અને પ્રશાખાઓ છે. કોળી પ્રજા એ લડાયક પ્રજા છે. ચંદ્ર ગુપ્ત મૌર્યના સમયમાં સમુદ્રી સેના માં સૌથી વધારે સૈનિકો કોળી જાતિના હતા. શિવાજી છત્રપતિના સેનાનાયક વીર તાનાજી માલસુરે પણ કોળી સમાજના જ હતા. ઝલકારી બાઈ જે મહારાણી લષ્મીબાઇની સેના નાયક હતી એ પણ કોળી જાતિના હતા.રાજસ્થાન, ઉત્તરાખંડ અને બીજા અનેક રાજ્યોમાં કોળી રાજપુત સમાજ છે. ગુજરાતમાં પણ કોળી સમાજની સૌથી વધુ જન સંખ્યા નોંધાયેલી છે. કોલીય નામના મહાન અને તપસ્વી ઋષિના નામ ઉપરથી આ પ્રજા ની ઓળખ થયેલી છે. ઇતિહાસમાં આ પ્રજાના ઘણા વીર યોદ્ધાઓ થઈ ગયેલા છે. આ પ્રજા આદિ અનાદિ કાળથી લડાયક અને બહાદૂર પ્રજા તરીકે પંકાયેલી છે. પુરાણો પ્રમાણે જોવા જઈએ તો કોઈપણ પ્રજા તેના કર્મથી મહાન છે. જન્મથી નહીં. આથી કોળી પ્રજા પણ આ દેશની મૂળ પ્રજા અને એ પણ મુલનીવાસી છે. આ પ્રજામાં લડવાના ગુણો રહેલા છે. આથી પ્રજા પોતાને ક્ષત્રિય ગણે એમાં તથ્ય રહેલું છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

મુસ્લિમ શાસકોના આક્રમણ ને કારણે કાલરી ભાગ્યુ. ત્યારે કાલરીના શાસક ના રાણી છુપા વેશે પોતાને અને પોતાના ગર્ભમાં રહેલા ભાવિ કુલદીપક ને બચાવવા માટે બનાસકાંઠાના આજના કંબોઈ ના જંગલોમાં વસેલા અને ત્યાં પોતાના કુંવર ને જન્મ આપેલો. જ્યારે કાલરીથી અન્ય સોલંકીઓ અને એમના વશજો પોતાને મુશલીમ હુમલાખોરોથી બચાવવા માટે સ્થળઆંતરીત થયેલા જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ ગયેલા. તેમજ એ પહેલાં પણ સિદ્ધરાજ સોલનકી ના સમયમાં પણ ઘણા સૈનિકો યુદ્ધ સમયે અને ત્યારબાદ જે તે વિસ્તારમાં સ્થાઈ થયેલા. અને ઉત્તર થઈ લઈને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વસવાટ કરેલો અને કાયમ માટે સ્થાયી થયેલા . આ જે આ લોકો કોઈ પોતાને ઠાકોર તો કોઇ પોતાને દરબાર કે બારીયા કે બારૈયા કે પાટનવાડીયા તરીકે ઓળખાવે છે. પરંતુ મૂળે તો આ લોકો પોતાના પૂર્વજોના રાજ્યો તૂટવાથી, ભાગવાથી કે ભગાવાથી ગુજરાતમાં ચારેકોર પથરાયેલા. જેમાં ચૌહાણ, રાઠોડ, સોલંકી, પરમાર, ડાભી વિગેરે વધુ પ્રમાણમાં હતા. આજે સૌ ઠાકોર, દરબાર કે રજપૂત તરીકે પોતાને માને છે.મોટા ભાગનાને સરકારે 1974ના બક્ષી પંચ ના અહેવાલ થકી સામાજિક અને શૈક્ષણિક તથા આર્થિક રીતે પછાત વર્ગમાં ગણ્યા છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

સૌરાષ્ટ્રમાં રાઠોડ જાતિના ક્ષત્રિયો ની ઘણી શાખાઓ છે. એમાં કયા રાઠોડ ક્ષત્રિય ની વિશે જાણવા માંગો છો એ જણાવશો

Koli Ajayraj Bavaliya કહ્યું...

અમુક લોકો માને છે કે કોળી ક્ષત્રિય નથી તે રાજપૂત જાતિ નથી તો સુ કહેવું?

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કોળી જાતિ આ દેશની પ્રાચીન અને લડાયક જાતિ છે. કોળી પ્રજાનો પોતાનો પણ હજારો વર્ષોનો ઈતિહાસ છે. રાજપુતો પહેલાનો કોળી સમાજનો ઇતિહાસ છે. આપ શું કામ પોતાની જાતને રાજપૂત કહેવડાવવા માગો છો ? એ સમજાતું નથી. કોળી જાતિ દેશમાં અલગ અલગ જગાએ અલગ અલગ રીતે ઓળખાય છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

અકેલા ન્યૂઝ- 14 જાન્યુઆરી -2018
રાજકોટ, તા. ૧૩ : સૂર્યવંશી કોળી સમાજના પ્રથમ વંશજ મહારાજા ઈશ્વાકુના પરિવાર રાજા યુવનાશ્વને ત્યાં માંધાતાનો જન્મ થયો હતો, જન્મ વખતે સૂર્યની ગતિ તેમજ નક્ષત્ર કનિદૈ લાકિઅ પ્રમાણે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ થયેલ તે દિવસે ''મકરસંક્રાંતિ'' ઉત્તરાયણ (ખીહર) દિવસથી કોળી સમાજના ધરોહર સમાન વીર માંધાતાનો પ્રાગટ્ય કનિદૈ લાકિઅ દિન રંગે ચંગે અકિલા યોજવામાં આવે છે. ત્રેતાયુગમાં પૌરાણિક કથા પ્રમાણે રાજા યુવનાશ્વને ઘણા સમય સુધી કોઈ સંતાન ન થતા, રાજા યુવનાશ્વ તથા રાણી કનિદૈ લાકિઅ રૂપમતીએ અત્યંત દુઃખી થતા ભાર્ગવ ઋષિના શરણે ગયા હતા, અને સંતાન પ્રાપ્તિ માટે અકીલા મહાયજ્ઞ કરાવેલ અને ઈશ્વરની કૃપાથી રાણી રૂપમતીએ અત્યંત કનિદૈ લાકિઅ સંુદર બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ, ભાર્ગવ ઋષિએ ગભરૂ બાળકને અંગૂઠો ચુસતા જોગો અને બાળકનું ''માંધાતા'' નામકરણ કરવામાં આવેલ હતું. રાજા કનિદૈ લાકિઅ રાણીએ જતનપૂર્વક બાળકનો ઉછેર કર્યો, અને કામધેનુ ગાયના દૂધથી ઉછેર થયો હતો તેવુ પૌરાણિક કથામાં ઉલ્લેખ છે. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન કનિદૈ લાકિઅ દેવરાજ ઈન્દ્ર દ્વારા માંધાતાને દ્વંદ યુદ્ધની તાલીમ આપવામાં આવી હતી. રાજા યુવનાશ્વનું અવસાન થતાં, યુવા માંધાતા ગાદી પતિ બનાવ્યા હતા. કનિદૈ લાકિઅ થોડા સમયમાં જ વીર માંધાતાની સમગ્ર દેશમાં આણ વર્તાવા લાગી, તેમના પરાક્રમથી દેશના અનેક રાજયોને પરાજય કરીને સત્તા મેળવેલ, જેથી પ્રજાએ તેમને કનિદૈ લાકિઅ ''મહાન કોલી સમ્રાટ''નું બિરૂદ આપેલ હતું. રાજા માંધાતાની શૂરવીરતા અને પરાક્રમ નિહાળીને રાજકુંવરી પૃથ્વીએ ''વસંુધરા'' નામ ધારણ કરીને વરમાળા પહેરાવેલ, પૃથ્વી માંધાતાને વરી હતી એટલે મહાન પરાક્રમી રાજા માંધાતા ''પૃથ્વીપતિ'' કહેવાયા હતા. રાજા માંધાતાએ રાણી વસંુધરાના સહયોગથી પ્રતિષ્ઠાપુર (આજનું કાશી) સહિત આજુબાજુના નાના - મોટા રાજયો કબજે કરીને આણ વર્તાવેલ, વીર માંધાતાએ લવણાસુર રાજય પર ચડાઈ કરવાનો મનસુબો ઘડ્યો, કારણ કે ત્યાંની પ્રજા અત્યાચારી રાજાથી ત્રાહીમામ હતી. લવણાસુરના કપટી રાજાને આની જાણ થતાં, વીર માંધાતાના લશ્કરમાં ગુપ્તચરો ગોઠવીને છળકપટ અને દગાથી રાજા માંધાતાનો વધ કરવામાં આવેલ અને એક યુગનો કરૂણ અંત આવેલ હતો. ભારતભરમાં અનેક રાજયોમાં કોળી સમાજની વ્યાખ્યામાં આવેલ લોકો, વીર માંધાતાનો જન્મ સમયે, નક્ષત્ર અને તારા મંડળના અભ્યાસનું ભાર્ગવ ઋષિએ ઉત્તરાયણના દિવસ (ખીહર)ના રોજ જન્મ ગણતા, ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ સમગ્ર કોળી સમાજ વીર માંધાતાનો પ્રાગટ્ય દિન ભવ્ય રીતે ઉજવે છે, અને રાજકોટ શહેર જીલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવશે. (સંકલન : જલ્પાબેન કુમારખાણીયા, રાજકોટ મો. ૭૯૯૦૦ ૮૬૪૬૯.

RAJPUT કહ્યું...

જય ભવાની , કારડિયા રાજપુત વિશે વિગતે જણાવશો ...

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

Jay Bhavani

RAJPUT કહ્યું...

જય ભવાની , કારડિયારાજપુત વિશે વિગતવાર જણાવશો....

Unknown કહ્યું...

પરમાર વંશની તમામ પ્રકારની માહિતી આપવા કૃપા કરશોજી

Unknown કહ્યું...

બાપુ નાયક રાજપૂત વિશે માહિતી આપો

Unknown કહ્યું...

સરસ બાપુ માહિતી મુકી છે તમે

Unknown કહ્યું...

વધુ માહિતી હોય તો મુકજો બાપુ

Unknown કહ્યું...

સમાજની આટલી બધી માહિતી એક્ઠી કરી બાપુ આપને હું વંદન કરું છું ખૂબજ સરસ કામ આપે કરું છે આપનો મોબાઈલ નંબર આપજો બાપુ

Unknown કહ્યું...

જય માતાજી ભવાનસિંહ ખૂબ સરસ

Unknown કહ્યું...

Jay mataji
Gandhinagar jilla na dahegam ma chauhan rajput na sat gam che emna purvj ni mahiti aapso

Unknown કહ્યું...

Gamna name che harsoli
, palundra, lavad, harkhjina muvada, amarabhai na muvada, vatva bardoli

Unknown કહ્યું...

Khichi chauhan che

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

જય માતાજી ભાઈ. 9427063224 ભવાનસિંહ ઠાકુર( રભાતર પરમાર)

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આભાર આપશ્રીનો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કયા કયા સાત ગામ છે એ જણાવવા વિનંતી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ભલે સરસ. માહિતી આપવા માટે પ્રયત્ન કરીશ

Unknown કહ્યું...

ડાભી પરીવારનો

Unknown કહ્યું...

ચુવાળીયા કોળી ઠાકોર આવે

Unknown કહ્યું...

ચુવાળીયા કોળી ક્ષત્રિય ઠાકોર કહેવાય

Unknown કહ્યું...

બાપુ અમે ચુવાળ મલકમાથી આવ્યા છીએ 15મી સદીએ ગામ:ઉઘરોજ એટલે અમે ઉઘરેજા કહેવાય (ઠાકોર માથી ચુવાળીયા કોળી કહેવાય )તો ઈતિહાસ મા મદદ કરશોજી

Unknown કહ્યું...

બાપુ અમે મૂળ વતન ચુવાળ મલક માથી આવ્યા છીએ ગામ:ઉઘરોજ 15મી સદીએ અમે ઠાકોર હતા અત્યારે અમે ચુવાળીયા કોળી તરીકે ઓળખાય છીએ ઝાલાવાડ મા તો ઈતિહાસ આપોને


Parmar rajput gujrat કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown કહ્યું...

જય માતાજી બાપુ,મારુ નામ રાજેશ અજાણી છે જાતિ સગર છે પણ હુ ક્ષત્રિય છુ અનાથી વધારે કઈ વધારે માહીતી નથી ઈતિહાસ તો બહૂ મોટો છે.પણ કઈ સમજાતુ નથી કે હૂ સુયૅવંશી રાજપુત છૉ કે નહી જવાબ વિનંતી કરુ છુ

Parmar rajput gujrat કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Parmar rajput gujrat કહ્યું...

જય માતાજી બાપુ

Parmar rajput gujrat કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Parmar rajput gujrat કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown કહ્યું...

જય માતાજી બાપુ......
કપડવંજ તાલુકાના ગામડા ના બાપ દાદા કહેવા પ્રમાણે આપણે મુળી પરમાર છીએ..કોઈ માહિતી હોય તો કહો ને પ્લીઝ...

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

મોટા ભાગના બારોટો એમ કહેછે કે પરમારો બધા મૂલીના છે, આ વાત સાથે હું સહમત નથી. કારણ કે સૌરાસ્ટ્ર બાજુના કોઈપણ ક્ષત્રિયો સ્થળાંતરીત થયા હોય એવું મારી જાણમાં નથી. મોટે ભાગે ઉતર ગુજરાતનાં ક્ષત્રિયો સ્થળાંતરિત થયેલા છે.

Thakor કહ્યું...

માતરવાડિયા ઠાકોર એ ક્યાં ક્ષત્રિય માં આવે..વંશ કયું કહેવાય ..

Unknown કહ્યું...

તમારી વાત સાચી છે કે ખોટી એ અમને ખબર નથી પણ કપડવંંજ તાલુકાના જેટલા પણ ક્ષત્રિય પરમાર છે તે મુળી પરમાર તરીકે ગર્વ અનુભવે છે અને હું પણ ગર્વ અનુભવું છે..માં હર્ષદ ભવાની ને પણ પુજીએ છીએ.અને પેહલેથી બાપ દાદા વખતથી જ પરમાર લખે છે અને પેટા જ્ઞાતિમાં રજપુત લખતા આવ્યા છે અને નામની પાછળ સિંહ લખાવી એ છીએ પણ ઓબીસી માટે જ િહન્દુ ઠાકોર લખાવ્યું છે..પણ બીજા સમાજ વાળા ઠાકોર કરતા દરબાર સમાજ તરીકે વધારે ઓળખે છે .અમારા ખેડા આણંદ બાલાશિનોર માં ઠાકોર રાજપુત દરબાર કે ક્ષત્રિય કહો એટલે અમારો સમાજ ..બીજા વિસ્તારમા ઠાકોર અને દરબાર અલગ અલગ છે અેવુ અહીયા નથી
જો બાપુ.. તમે ઉંડાણ મા જાણતા હોય તો માહીતી આપવા વિનંતી...જય માતાજી..

Parmar rajput gujrat કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
ભવાન સિંહ ઠાકુર કહ્યું...

માતરવાડિયા ઠાકોર એ આપશ્રીના પૂર્વજો જ્યાથી સ્થાળાંતરીત થયા હશે એ સ્થળના કે ગામના નામ ઉપરથી "માતરવાડીયા ઠાકોર" નામ પડ્યું હશે, એવું મારુ માનવું છે. દા.ત.વાસદાના રહેવાસી હાલમાં વાસદીયા તરીકે ઓળખાય છે. વડોદ ના લોકો હાલમાં અન્ય જે જગાએ રહે છે એ સ્થળે વડોદિયા તરીકે ઓળખાય છે. આથી તમારી ઓળખાણ કે અટક એ આપના બાપદાદાના ના ગામના નામ ઉપરથી પડી હોય એવું જણાય છે. તમારી મૂળ શાખ અટક અન્ય હોય શકે. દા.ત. સોલંકી, પરમાર, રાઠોડ.ગોહેલ, મકવાણા વિગેરે

Unknown કહ્યું...

ભાઈ તમે સગર છો

Unknown કહ્યું...

બાપુ ચરાડું ગામ નો ઇતિહાસ હોય તો જણાવો ઝાલા મકવાણા ના

Unknown કહ્યું...

ચરાડું ગામ ના ઝાલા મૂળ ક્યાં ગામ ના સે

Unknown કહ્યું...

મોખા રાજપૂત નો
ઈતિહાસ જણાવશો

Unknown કહ્યું...

મોખા રાજપૂત વિશે ઈતિહાસ જણાવશો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આપ કયા વિસ્તારના છો એ જણાવવા વિનંતી છે. મોખા રજપૂત સમાજ કયા વિસ્તારમાં વસવાટ કરે છે એની જાણકારી આપો.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ઉપર કોઈક ભાઈએ ચરાડું ગામનો ઇતિહાસ અને ઝાલા મકવાણા કુળનો ઇતિહાસ અંગે કહ્યું છે. તો એ બાબતે જણાવવાનું કે ચરાડું ગામનો ઇતિહાસ જે તે ગામના વડીલો કે ગ્રામ પંચાયત પાસેથી મળી રહે. તેમજ ઝાલા મકવાણા, નહીં પરંતુ ઝાલા અને મકવાણા અલગ અલગ અટક છે. મૂળ અટક મકવાન ઉપરથી મકવાણા થયું છે. એટેલે મૂળ મકવાણા કહેવાય અને પછીથી ઝાલા (jhala -ઝાહલ્યા) અટક આવી છે. મૂળ કેસરદેવ મકવાન અને ત્યારબાદ તેમની પેઢીમાં ઝાલા અટક જોવા મળે છે. કેસરદેવના મૂળ વંશજો મકવાણા અટક હાલમાં પણ લખાવે છે.

Unknown કહ્યું...

.

Unknown કહ્યું...

કારડીયા રાજપુત સમાજ નો ઇતહાસ બાપુ

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કારડીયા

કારડીયા એક ભારતીય ક્ષત્રિય રાજપૂત જ્ઞાતિ છે. તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારમાં વસે છે.

તેઓએ કર ચૂકવણી કરી હોવાથી કર + દિયા નો અર્થ કર દિયા પરથી કારડીયા નામ પડ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૬ રાજપૂત કુળો છે, જેમાંથી ડોડીયા,વૈંશ ( વાઇસ , બૈશ),ગોહિલ, દાહિમા, મોરી, ભટ્ટી, તનવર, જાદવ, કામળિયા, સિંઘવ, નિકુંભ, બારડ, પરિહાર, વગેરે કારડીયા રાજપૂત જ્ઞાતિની શાખાઓ કે પેટાજ્ઞાતિઓ છે. અપરજી ડોડીયા કારડીયા રાજપૂત હતા અને તેઓ જૂનાગઢના રા' માંડલિકના મુખ્ય સરદાર હતા. મોરી રાજપૂતોનો બાપા રાવળ સાથે સંબંધ હતો, કારણ કે તેઓ બાપા રાવળના મામાના કુટુંબમાં થતા હતા. મોરી રાજપૂતો સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ભટ્ટી રાજપૂતો અને જાદવ રાજપૂતો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.મહાવીર રામદેવજી મહારાજ તનવર હતા. અનંગ પાલ તનવર દિલ્હીના રાજા હતા. તનવર રાજપૂતો સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે સ્થળોએ જોવા મળે છે. સિંઘવ રાજપૂતો રાજા પુષ્પદેવ સિંઘવના વંશજો છે. નકુમ અને નિકુંભ સમાનાર્થી પ્રયોગો છે, તેઓ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળે છે. દહિમા શાખા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળે છે. પરિહાર રાજપૂતો અગ્નિવંશી રાજપૂતો છે અને પીંગળગઢ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ રામ અને લક્ષ્મણના વંશજો ગણાય છે.

Unknown કહ્યું...

ગોહેલ અને ગોહિલ બંને અલગ અલગ અટક સે પણ અમારા ખેડા જિલ્લા માં કોઈ સમજવા તૈયાર નથી અને અમે ગોહિલ છીએ

Unknown કહ્યું...

તમામ અટકનું ગોત્ર જણાવવા વિનંતી

Unknown કહ્યું...

બાપુ સોનગરા ચૌહાણ નો ઇતિહાસ મૂકો

Unknown કહ્યું...

અમે વાઘેલા તરીકે અમારી અટક લગાવીએ છીએ. પણ મારે જાણવું છે કે આ વાઘેલા નામ કઈ રીતે ચાલુ થયું ?
જેવુ તમે આગળ કહ્યું કે વાઘેલ ગામ હોવાથી તેઓ વાઘેલા તરીકે ઓળખાયા...પણ એવો પણ કોઈ ઇતિહાસ છે કે જેમાં વાઘેશ્વરી માતાજીની કૃપાથી વાઘેલા નામ પડ્યું છે. તો આ બાબતે થોડી સ્પષ્ટતા કરવા વિનંતી...

Unknown કહ્યું...

નમસ્કાર
સાહેબ ઓડ જાતી વિસે નો ઇતિહાસ જણાવસો જી ઓડ મહારાજ સગર વંશ થી છે તો કૃપયા જાણકારી આપસો જી

Unknown કહ્યું...

ખાંટ ક્ષત્રિય નો ઇતિહાસ જાણવા વિનંતી કેમ કે ખાંટ વિશે આજ શુધી કશુજ માહિતી નથી??? ������

Unknown કહ્યું...

જય માતાજી
બાપુ અમે મુ.સારોલગામ તા.બોરસદ જી.આણંદ ના હાલરે. માસરગામ તા.પાદરા જી.વડોદરા જાદવ છિયે અમને જાદવ કુલ વીસે માહિતિ આપો

Arjun Talpada કહ્યું...

તળપદા સમાજ ની જાનકારી માહિતી આપૌ
તળપદા કોન હતા

Arjun Talpada કહ્યું...

વાઘરી સમાજ ની જાનકારી માહિતી આપૌ ‌
શું વાઘરી પેહલા ક્ષત્રિયા હતા

Unknown કહ્યું...

મકવાણા ઠાકોર વિશે જાણકારી આપશો

Unknown કહ્યું...

મકવાણા ઠાકોર વિશે જણાવશો ગોત્ર વગેરે

Unknown કહ્યું...

ઓખાના વાઘેર સમાજનો ઈતિહાસ જણાવશો?

Unknown કહ્યું...

Jay dwarkadhish Sir🙏🏻
Me tmari badhi j mahiti khub dhyan purvak joy..
Aatli badhi mahiti melvi ne khub j aanand thayo..

Hu Talpada koli chhu.
Bhavnagar ma rahu chu.
Amaru mul vatan talaja taluka nu Zanzmer gaam chhe.

Ek que. Hato.
Haal na samay ma kshatriy samaj na ghana eva manso chhe.
Je Koli samaj ne sav tucch mane che..

Tmari najar ma te ketla anshe yogya che.!!!
Tme pan ek kshatriy chho atle tmari najar ma koli samaj ne aavi rite ganvo a kharekhar yogya che.!!!

Unknown કહ્યું...

Javab aapva vinanti🙏🏻🙏🏻🙏🏻

Unknown કહ્યું...

જય માતાજી

Unknown કહ્યું...

ભવાનસિંહ ધન્યવાદ કારડીયા રાજપૂત વિશે માહિતી આપવા બદલ જય મા ભવાની

Unknown કહ્યું...

તમામ જાતિઓ કે કોમ નો પોતાનો અલગ અલગ ઇતિહાસ છે. કોઈપણ જાતિ કે કોમ નીચી નથી. દેશની તમામ જાતિઓએ દેશ માટે આહુતિઓ આપેલી છે. કોળી જ્ઞાતિ આ દેશની પ્રાચીન અને પુરાતન જાતિ છે. કોળી જ્ઞાતિનો પણ પોતાનો આગવો ઇતિહાસ અને સંસ્કૃતિ છે. તમામ જાતિઓ પોત પોતાની રીતે મહાન છે જ.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કોઈપણ જ્ઞાતિનો ઇતિહાસ હંમેશા બલિદાનો થી જોડાયેલો છે. એ બલિદાન પછી લડાઈના મેદાનનું હોય કે પછી દેશની સરહદો માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હોય કે પછી સમાજના ભલા માટે પોતાના દેહનો ત્યાગ કર્યો હોય. બલિદાન હંમેશા પોતાના સમાજ,રાજ્ય અને દેશ માયે જ આપેલું હોય છે. તમામ સમાજ નો ઇતિહાસ ઉજળો જ છે. પોત પોતાની રીતે તમામ સમાજો ઉંચા જ છે . કોઈ પણ પ્રજા કે સમાજ કે સમાજના લોકો ક્યારેય નીચા હોતા નથી. આ તો આપણે સૌએ પોતાને મહાન ચિતરવાની હોડમાં પોતાને ઊંચા તો કોઈક ને નીચા બતાવવાની ચેષ્ટા કરી બેઠા છીએ. ભગવાન રામ જ્યારે વનવાસ માટે જંગલમાં ગયા ત્યારએ એમની સાથે માતા સીતા અને ભાઈ લક્ષમણ સિવાય કોઈ જ નહોતું. શ્રી રામને જંગલમાં જે જે પ્રજા કે લોકો મળ્યા એ બધા મૂળ તો વનવાસી,આદિવાસી ભીલ કે કોળી સમાજના જ લોકો હતા. ભગવાન એમની સાથે વર્ષો સુધી રહ્યા હતા અને અને એમના સાથે બેસીને જમ્યા પણ હતા. આ જ પ્રજાના સૈનિકોને લીધે ભગવાને રાવણ ને પરાસ્ત કાર્યઈ હતો. શ્રીરામે ક્યારેય કોઈપણ પ્રજા કે વ્યક્તિનો તિરસ્કાર કર્યો નહતો.માનવીય મૂલ્યોને મહાન ચિતરવાની હોડમાં જ્યારથી આપણા આર્યાવ્રતમાં તિરસ્કૃત,બહિષ્કૃત ની વ્યવસ્થા એ પગપેસારો કર્યો ત્યારથી દેશ તૂટવા લાગ્યો અને એનો લાભ બહારથી આવેલી ઝૂઝ સંખ્યા ધરવાતા ટોળાના સરદારો એ કે બહારી આક્રમણકારીઓએ લીધો.જેના લીધે આપનો દેશ હજારો વર્ષ સુધી ગુલામ રહ્યો. આ દેશના મહાન અને પ્રતાપી રાજાઓ મહારાણા પ્રતાપ અને શિવાજી છત્રપતિ એ તમામ કોમના લોકોને સાથે રાખીને જીવંતપર્યંત સંઘર્ષ કર્યો હતો.એમને મન ના તો કોઈ ઊંચ કે ના કોઈ નીચા હતા . તમામ સરખા જ હતા. માટે પ્રતિકાર કરતા શીખો, જે વ્યક્તિ તમને નીચા કહેવાનો અર્થ કરે એ તમારાથી નીચી કે નીચ હોઈ શકે. આપ નહીં.ઊચ્ચ કોટિના વિચારો ધરવાતો વ્યક્તિ બીજાને ક્યારેય હડધૂત કરી શકે નહીં કે નીચા માનવાનો વિચાર સુદ્ધા પણ કરી શકે. આપના વિચારો જ આપણ ને મહાન અને ઉચ્ચકોટીના બનાવી શકે છે.

Unknown કહ્યું...

Jay Nagneshwri mataji..હૂ ઠાકોર છું પન અમે મૂલ હરનાહોડા ના છીયે ... રાઠોડ અમારી કુલદેવી નાગણેસરી માતાજી છે.તો અમે કયા રાઠોડ છીયે.. રાઠોડ માં ૩૬શાખોઓ છે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

હા, ઠાકોર અટક લખવી કે ઠાકોર તરીકે ઓળખવું એ મારા તમારા માટે ગર્વની વાત છે. ભગવાન શ્રી રામ માટે પણ તુલસીદાસજી મહારાજે "ઠાકુર" શબ્દોનો રામાયણમાં ઉક્કેખ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ માટે પણ મૂળ ઠાકુર,ઠાકોર અને કેટલાક સમાજો ઠાકર શબ્દનો ઉપયોગ થાય છે. કોઈપણ ઠાકોર હોય,એમની શાખ અટક પણ હોય છે. પેટા અટક ગામ કે બાપના નામથી પણ પડેલ છે. માટે આપની અટક જે પણ હોય, ભવિષ્ય માં આપણી અને આપના સમાજની ઐતિહાસિક સભ્યતા જળવાઈ રહે એ માટે "ઠાકોર" શબ્દ ને ક્યારેય ના છોડતા. જય માતાજી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

હા, ઠાકોર અટક લખવી કે ઠાકોર તરીકે ઓળખવું એ મારા તમારા માટે ગર્વની વાત છે. ભગવાન શ્રી રામ માટે પણ તુલસીદાસજી મહારાજે "ઠાકુર" શબ્દોનો રામાયણમાં ઉક્કેખ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ માટે પણ મૂળ ઠાકુર,ઠાકોર અને કેટલાક સમાજો ઠાકર શબ્દનો ઉપયોગ થાય છે. કોઈપણ ઠાકોર હોય,એમની શાખ અટક પણ હોય છે. પેટા અટક ગામ કે બાપના નામથી પણ પડેલ છે. માટે આપની અટક જે પણ હોય, ભવિષ્ય માં આપણી અને આપના સમાજની ઐતિહાસિક સભ્યતા જળવાઈ રહે એ માટે "ઠાકોર" શબ્દ ને ક્યારેય ના છોડતા. જય માતાજી

Unknown કહ્યું...

ઓખાના વાઘેર સમાજનો ઈતિહાસ જણાવશો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

સારું,જરૂરથી

Unknown કહ્યું...

આહિર નો ઈતિહાસ જણાવો

Unknown કહ્યું...

રામ રામ,
મકવાણા/મખવાન (કાઠી દરબાર) અત થી ઈતિ સુધીનો જો સંપુ્ર્ણ અને સચોટ ઈતિહાસ મલી રે તો આપશ્રીનો હું આભારી રહીશ
આપ મને મેઈલ કરીને જણાવશો એવી આશા સાથે આપને અને આપના ઈતિહાસ લક્ષી જ્ઞાન ને વંદન સાથે રજા માંગુ છુ,

Unknown કહ્યું...

રામ રામ,
મકવાણા/મખવાન (કાઠી દરબાર) અત થી ઈતિ સુધીનો જો સંપુ્ર્ણ અને સચોટ ઈતિહાસ મલી રે તો આપશ્રીનો હું આભારી રહીશ
આપ મને મેઈલ કરીને જણાવશો એવી આશા સાથે આપને અને આપના ઈતિહાસ લક્ષી જ્ઞાન ને વંદન સાથે રજા માંગુ છુ,
Kd_Makwana@yahoo.co.in

Unknown કહ્યું...

દુ્ષય ગોત્ર ની માહિતી આપશોજી

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

હા,જરૂરથી

Unknown કહ્યું...

બાપુ ક્ષત્રિય કુલ મા વાળા કેમ પડ્યા અને કેવા સંજોગો માં પડ્યા માહિતી આપવા વિન્નતી

Unknown કહ્યું...

બાપુ ક્ષત્રિય સમાજ માંથી આ વાડા કઈ રીતે પડ્યા અને કેવા સંજોગો માં પડીયા જણાવવા વિન્નતિ

Unknown કહ્યું...

ગુજરાત માં ચાવડા રાજપૂતો નો ઈતિહાસ વનરાજ ચાવડા અને જયશિખરી ચાવડા થી પહેલા નો ઈતિહાસ જણાઓ

Unknown કહ્યું...

બાપુ પરમાર નો પૂરો લેખ મળી શકે..?

D m chauhan કહ્યું...

જય માતાજી બાપુ કચ્છ માં વસતા ગુર્જર ક્ષત્રિય નો ઇતહાસ હોય તો આપશો જી કારણ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ એ મૂળ રાજસથાન થી આવેલ ક્ષત્રિય છે.

D m chauhan કહ્યું...

ધાણેટી ગામ કચ્છ ગુર્જર ક્ષત્રિયો નું ગામ છે.ગૂર્જર ક્ષત્રિયો કચ્છમાં પ્રવેશ્યા અને તેમણે અહીંની ધરતી પર ૧૧૭૭-૭૮ (વિક્રમ સંવત ૧૨૩૪)ની સાલમાં યુદ્ધ કરેલું અને પટેલ ગંગા મારૂના નેતૃત્વ હેઠળ અહીં સ્થાયી થયા.[૨][૩][૪][૫][૬][૭][૨]

આજે પણ ગુર્જર ક્ષત્રિયોના દાદાઓ અથવા શુરપુરાઓ (વડવાઓ જેઓ યુદ્ધમાં માર્યા ગયા હોય)ના પાળિયાઓ અને દેરીઓ ગામના તળાવની નજીક આવેલા છે અને યુદ્ધના મૂક સાક્ષીઓ છે.[૨] યુદ્ધના એક હજાર વર્ષ પછી પણ સમાજના લોકો આ પાળિયાઓની મુલાકાત લે છે અને આ વીરોની પૂજા કરે છે.[૨][૮]

૧૪થી ૧૫મી સદી દરમિયાન ગૂર્જર ક્ષત્રિયોએ ધાણેટી ગામ છોડ્યું અને કચ્છના ૧૮ ગામોમાં સ્થાયી થયા જે તેમને રાજા દ્વારા સોંપવામાં આવ્યા હતા. તેઓ નિષ્ણાત કલાકાર અને સ્થપતિ હતા અને તેમણે કિલ્લાઓ, મહેલો અને કચ્છના સ્થાપ્ત્યમાં મોટો ફાળો આપ્યો હતો.[૪] તેમના કાર્યની ગુણવત્તાને કારણે અને તેમના રોજગાર ને કારણે કચ્છના મિસ્ત્રીઓ તરીકે જાણીતા બન્યા હતા.[૨]

માધાપર કચ્છના ગુર્જર ક્ષત્રિયો વડે સ્થાપિત ૧૮ ગામોમાંનું એક છે. ૧૨મી સદી દરમિયાન ગૂર્જર ક્ષત્રિય સમુદાયના ઘણાં લોકો ધાણેટી ગામમાં સ્થાયી થયા અને પછી અંજાર અને ભુજ વચ્ચેના ગામોમાં વસ્યા.[૨][૩][૪][૫] માધાપરનું નામ માધા કાનજી સોલંકી પરથી પડ્યું છે જે ધાનેતીમાંથી માધાપરમાં ૧૪૭૩-૧૪૭૪માં (વિ.સ. ૧૫૨૯) વસ્યા હતા.[૬] માધા કાનજી એ સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના વંશજ હતા, જેઓ હાલાર વિસ્તારમાંથી ધાનેતીમાં વસ્યા હતા અને ત્યાંથી માધાપર આવ્યા હતા.[૭] આ શરૂઆતનું માધાપર અત્યારે જૂના વાસ તરીકે ઓળખાય છે. તેમના વ્યવસાયને કારણે આ ક્ષત્રિયો પછીથી મિસ્ત્રી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે જૂના વાસની સ્થાપના કરી અને શરૂઆતના વિકાસ, મંદિરો અને કચ્છના શરૂઆતના બાંધકામમાં અગત્યનો ફાળો આપ્યો હતો.

D m chauhan કહ્યું...

બારોટ જી ના ચોપડા પર થી મળેલ માહિતી મુજબ અમારો સમાજ રાજસ્થાન થી ગુજરાત આવેલ અને કચ્છ મા અસ્થાઈ થયેલ છે મૂળ ક્ષત્રિય/રાજપૂત સમાજ હોય પણ મિસ્ત્રી કામ કરતા મિસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે આ સમાજ વિષય મા કૃપયા મદદ રૂપ થાસો બાપુ
જય માતાજી જય ભવાની

D m chauhan કહ્યું...

જય માતાજી જેઠવા રાજપૂત સમાજ ની હિસ્ટરી મા પણ અમારા સમાજ નો ઉલ્લેખ છે બાપુ
પણ અમુક લોકો આ વાત ને નથી સ્વીકાર કરતા કારણ મિસ્ત્રી કામ કરતા હોય અને એજ કારણો થી મિસ્ત્રી શબ્દ નો ઉલ્લેખ હોવા થી અમારો સમાજ આજે રાજપૂત સમાજ થી વિખૂટું પડેલું છે બાપુ ૯૭૨૪૮૬૮૩૯૮ મારા નંબર છે બાપુ આપ શ્રી help આપશો જી .
Samaj
History
Kuldevi
Vansh
Architectural Heritage
King
Natwarsinhji Bhavsinhji
Udaybhansinhji
Kuldevi
The Jethwa Rajputs belong to the Gautam/Vajas Gotra and their Kuldevi is Vindhyavasini Devi. Jethwas also worship Chamunda and Harsidhhi, whose main temple was in Miani, one of their original colonies. In the temple of Harsiddhi at Miani, three lamps used to burn till dissolution of princely states, one lamp of the temple, one from Jethwa rulers of Porbandar and another from Jams of Nawanagar. Jethwas also worship Brahmani & Chamunda Mata as Kuldevi and their temples are located one at Anjar and another at Nagalpar. Some of them also claim themselves to be of Bhardwaja Gotra. Many also worship Momai Mata, who again is an incarnation of Harsiddhi of Miani. Again there is one aspect of devi, who is known as Jethwa Mata, who is identified as Gaur Matas or clan deities.

The main villages from which Jethwa Rajputs hail from are Morana, Ratdi, Shrinagar, Pandavadar, Gosa, Chhaya, Rozda, Hathla, Gadu, Kantela, Baradiya, Katvana, Lodava, Bhanvad and Ghumli in Saurashtra region of Gujarat. Jethwas are also found in Kutch in large numbers, where they seem to have migrated along with other Rajput / Kshatriya belonging to Kutch Gurjar Kshatriya group of warriors, who arrived in Saurashtra in early 7th Century from Rajasthan fighting and repealing attack from North West. Later a major group entered Kutch in 12th Century AD and established themselves at Dhaneti. At present population of Jethwa in Kutch is centralized around Anjar town and some villages of Anjar Taluka.

chiragkumar jadav કહ્યું...

Please give detailed information about Jadav kul.

Is Jadav and Yadav same?

I'd shree Krishna from Jadav kul?

chiragkumar jadav કહ્યું...

જાદવ કુળની કુળદેવી અને કુળદેવતા નું નામ જણાવવા વિનંતી

Unknown કહ્યું...

ધંધુકા કોએવસાવયુ

Unknown કહ્યું...

બાપુ અમે કલોતરા શાખના રબારી છીયે,અમારૂં કુલ પરમાર છે. અમે ક્ષત્રિય છીયે.અમારા વડલા કરણસિંહ કલોતરા એ ખિલજીઓને ખતમ કર્યા હતા.આમા ઘણા કલોતરા અને દેસાઈ-રબારી શહીદ થયા હતા.એટલે કેમ કોઇ લડવા ના આવ્યા.

Unknown કહ્યું...

કોળી મૂળ ક્ષત્રિય જ્ઞાતિ છે?

Unknown કહ્યું...

કોળી મૂળ અેક ક્ષત્રિય જ્ઞાતિ છે.અમા૱ અખિલ ભારતીય ક્ષત્રિય કોલી રાજપુત સંઘ-new delh નામનું અેક ગ્રુપ છે. અને અમને કરણી સેના અને રાષ્ટ્રીય ક્ષત્રિય જનસંસદ મા પણ સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત મા પણ આ ગ્રૂપ બન્યું છે.

Unknown કહ્યું...

પણ કોળિ ક્ષત્રિય છે કે નહીં તે કહો?

Ancient history and Motivational stories. કહ્યું...

સોમેશ્વર ચૌહાણ વિશે થોડુંક જણાવવા માટે વિનંતી છે.

Unknown કહ્યું...

અનોડીયા રાઠોડ વિશે કંઈ માહિતી

Unknown કહ્યું...

કોલિય શુધ્ધ ક્ષત્રિય ક્ષાતિ છે

Unknown કહ્યું...

બાબરીયા પરમાર મેહૂલસિંહ નો ઇતિહાસ હોય તો મોકલજો જેઓએ પોતાની બહેન દીકરીઓ માટે શહીદ થયા હતા

Dineshkumar Chuahan કહ્યું...

જય માતાજી
પેટા જ્ઞાતિમાં બારીયા છે જ્યારે મારા પિતાજી , દાદાજી વગેરેમાં રાજપૂત છે તો બારીયા પેટા જ્ઞાતિ શેમાં આવે હું ચૌહાણ છું તો મારી ગણના રાજપૂતમાં થાય કે શેમાં ? મને જણાવો
જય માતાજી

Unknown કહ્યું...

બાપુ હું અમારી અટક હાલમાં પરાલી ગામ પરથી પરાલિય છે અને બારોટ ના ચોપડે સોલંકી રાજપૂત હાલમાં અમે તળપદા કોળી તરીકે ઓળખાઇ છીએ તો આ બાબત વિશે મે માહિતી મેળવતા જોયું કે કોળી પણ એક ક્ષત્રિય કુળ હોવાના પ્રમાણ છે અને કોળી ઓની ૧૯૩૨ માં ૫૯ રિયસ્તો goverment gregeter ma che to aana par જાણવા વિનંતી

Unknown કહ્યું...

ક્ષત્રિય ઠાકોર માથી ચુવાળીયા કોળી કહેવાય 14 મી સદીમાં
ચુવાળ મલક સુલ્તાન એહમદશાહ બાદશાહ વખતે ઈતિહાસ આપો

Unknown કહ્યું...

36 rajput kul mathi kardiya rajput ma ketli atak aave

Unknown કહ્યું...

ઠાકોર સાહેબ આ રાજપૂતો ના ગોળ કેમ પડ્યા અને ક્યારે પડ્યા તે વિશે માર્ગદર્શન આપી માર્ગદર્શન કરો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

બૌદ્ધ ધર્મના પ્રભાવ પછી આદ્ય ગુરુ શંકરાચાર્ય એ વૈદિક ધર્મની સ્થાપના કરી. કારણ કે પરિસ્થિતિ એવી ઉભી થયેલી કે આ સમય દરમ્યાન અનેક ક્ષત્રિય રાજવીઓ કાંતો બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો યા તો જૈન ધર્મ અપનાવ્યો હતો. તેમજ વિદેશમાંથી આવેલા અનેક આક્રમણકારીઓએ પોતાને રાજા કે સરદાર નું બિરુદ્ધ આપીને ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા હતા. એમાં ખાસ કરીને શ્વેત હુંણો,શકો,કૂષણો, શિથિરિયાનો,ખાજરો આભીરો વિગેરે જાતિઓ ભારતમાં આવીને પોતાને ક્ષત્રિય તરીકે પ્રસ્થાપિત કરી દીધી હતી. જેના કારણે અહીંની મૂળ જાતિઓ કે પ્રાચીન ક્ષત્રિયો એ જૈન યા બુદ્ધ ધર્મ અંગીકાર કર્યઓ. ઘણા ક્ષત્રિયો એ પોતાનાથી ઉતરતી જાતિઓ સાથે લગ્ન વ્યવહારો કર્યા. જેના લીધે ક્ષત્રિયો માં ભાગલા પડ્યા અને સમય જતાં ક્ષત્રિયો માં ગોળ બનવાની ભાવના જાગૃત થઈ. આ બાજુ શંકરાચાર્ય એ વૈદિક ધર્મની સ્થાપના કર્યા પછી અનેક ક્ષત્રિય રાજવીઓ પરત આવ્યા અને વૈદિક ધર્મ અપનાવ્યો. તેમ છતાં ઘણાબધા એવા રાજવીઓ હતા જેઓએ વૈદિક ધર્મને અપનાવ્યો નહીં. લગ્ન વ્યવહારોના લીધે અનેક ક્ષત્રિયોના સામાજિક દરજ્જા ઉતરતા થવા લાગ્યા.સમયાંતરે રાજઘરાનાના શાસકોએ પોતાની સમકક્ષ હોય એવા તમામ રાજવીઓ એ ભેગા મળીને એક સમુહનું નિર્માણ કર્યું. આ સમૂહ (ગોળ)માં જે જે રાજઘરાના ના રાજ્યકર્તા ને સમાવવામાં આવ્યા એમની પેઢીના વંશજો રાજપુત્રો તરીકે ઓળખવા લાગ્યા. આ ગોળમાં શરૂઆતમાં 36 છત્રીસ કુળ ના શાસકો નો સમાવેશ થયો હોવાથી આ ગોળને છત્રીસ કુળ એવું નામ આપવામાં આવ્યું.સમય જતા આ રાજપુત્રો કે રાજપુત્રનું અપભ્રંશ થયું અને રાજપૂત શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જે ક્ષત્રિયોનો આ ગોળમાં સમાવેશ ના ઈવા તમામ ક્ષત્રિયો નો પણ એ અલગ સમૂહ થયો અને એમના સામાજિક વ્યવહારો પણ અલગ થયા.
પરશુરામએ અનેક ક્ષત્રિયો નો વિનાશ કર્યો હતો.અને મોતને ઘાટ ઉતાર્યા હતા. આપણે આજે એવું ભણીએ છીએ કે પરશુરામે આ પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયો નો નાશ કરીને પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી હતી. જાણી જોઈને કેટલાક ઇતિહાસકારોએ ઇતિહાસ ને જોડી મરોડીને ક્યાયક પોતાની કલમ ને સત્ય સાબિત કરવા માટે ઇતિહાસનું બલિદાન લીધું છે. પરશુરામના ભયથી બચવા માટે કેટલાક ક્ષત્રિયો માતા હિંગળાજ ને શરણે ગયા તો કેટલાક જંગલો અને પહાડોમાં જઈ વસ્યા. અને પોતાને કે પોતાના પરિવાર ને બચાવવા માટે પોતાની જાતિ પણ છુપાવી હતી. જેના લીધે અનેક ક્ષત્રિયો ની સમય જતા શુદ્ર તરીકે ગણના થઇ. આમ થવાથી અનેક ક્ષત્રિયો એ પોતાની સાચી ઓળખ કાયમ માટે ગુમાવી. જેનો સિલસિલો પરદેશી આક્રમણકારીઓ ભારતમાં આવ્યા ત્યાંથી મલેકચ્છઓ, મુશલીમ શાસકો અને ત્યારબાદ અંગ્રેજ શાસકો એ પણ અગાઉની રણનીતિ અપનાવી અને મૂળ નિવાસી ક્ષત્રીયો સાથે અન્યાય કર્યો જેનો ભોગ આજે પણ આ મૂળ નિવાસી ક્ષત્રિયો ભોગવી રહ્યા છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ક્ષત્રિય સમાજના ભાગલા છઠ્ઠી સદીમાં પડ્યા.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

કોળી સમાજમાં પણ અને વાડા અને વિભાજનો છે. જેમકે તળપદા કોળી,ચુવાળીયા કોળી, ઘેડિયા કોળી,ઇડરિયા કોળી,ભાળિયા કોળી વિગેર અનેક વાડા છે. પરંતુ આમા ચુંવાળિયા કોળી સમાજ એ અને તળપદા કોળી સમાજ, આ બંને અલગ અલગ છે અને એ બંનેનો ઇતિહાસ પણ અલગ અલગ છે.
ચુવાળીયા કોળી સમાજ મૂળ ઠાકોર સમાજમાંથી અલગ થયેલો છે. મહમદ બેગડાએ મૂળ ઠાકોર કે ક્ષત્રિય કોમને નીચી બતાવવા અને પોતાના હકમોનું પાલન કરાવવા માટે ચુવાળ કે ઉત્તર ગુજરાત બાજુના અનેક શાખના ઠાકોરોને તળપદા કોળી સમાજ ની સાથે બળજબરીથી સામાજિક વ્યવહારો કરાવ્યા જેના લીધે મૂળ ઠાકોર સમાજ કોળી તરીકે ઓળખાયો અને સમય જતા પોતાના મૂળ ગામ કે સ્થળ છોડી ને આ લોકો સૌરાષ્ટ્ર બાજુ કાયમી વસવાટ કર્યો. આથી આ ઠાકોરો જે જે વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર બાજુ ગયા એ એ વિસ્તાર કે ગામના નામ કે બાપદાદાના નામ ઉપરથી એમની અટકો ઉદભવી. જેમકે દેત્રોજ ના રહેવાસી હોય તો દેત્રોજા એવી અટક પડી. મોટાભાગના ચુવાળ વિસ્તારમાંથી સ્થળાંતરિત થયેલા હોવાથી અને કોળી જાતિઓના સંપર્કમાં આવવાથી આ લોકો ચુવાળીયા કોળી તરીકે ઓળખાવા લાગ્યા. વેલાજી બાવા કે વેલનાથ ગુરુ આ ચુવાળીયા સમાજના મહાન સંત છે. જોકે આ વેલનાથ બાપુ મકવાણા ઝાલા શાખના હતા.

Unknown કહ્યું...

કોળી છો તમે,સા માટે જાત બદલો છો?

Unknown કહ્યું...

હું ચેતંસિંહ ક્લોતરા(પરમાર) khatriya ,છું ,પણ કોળી કે ઠાkor કે રાજપૂત નથી અને મને મારી જાત પર ગર્વ છે,કારણ કે હું ઠાકોર ની જેમ જાત બદલાતો નથી,ઠાકોર એ કોળી છે અને કોળી જ રહેવાને અને કોળી જ હતા,સા માટે રાજપૂત ને તમે લજવો છો,રાજપૂત અને ઠાકોર(કોળી) એ બે અલગ છે અને koli-thakor khatriya નથી પણ ચોર અને લૂંટફાટ કરતી કોમ હતી,હવે કોળી ઠાકોર ખેતી અને મજૂર છે,

Unknown કહ્યું...
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown કહ્યું...

Bhavan bhai thakor e koli che,sachi itihas aaava vinti che, rajput kom e gay ane hindu dharam mate mathu kapta var na kare,jayre thakor e midle age ma chori,lutpat,kheti ane majriyat kom che,tame sa mate amari(rajput) sathe sarkhamani karo cho

Unknown કહ્યું...

Bhai thakor(koli) ane rajput e banne alag che,khatraiya khara,pan raja na vansaj rajput ane koli samaj na vsnsaj e koli thakor che

Unknown કહ્યું...

Tame koli cho te sachu che tema manvanu na aave

Unknown કહ્યું...

Kathi e khatriya che te j sachu che, ane tevo koli thako ni jem jat nathi badlata, temnu lohi te khatriya nu lohi che

Unknown કહ્યું...

Aahir e khatriya yadav che,ane tevo koli thakor ni jem jat nathi badlata

«સૌથી જૂનું ‹વધુ જૂનું   294 માંથી 1 – 200   વધુ નવું› તદ્દન નવું»

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, ...